મચ્છરોને ફાવી ગયું: ડેન્ગ્યુના નવા 5 સહિત 46 દર્દી
મનપાના આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર ચેકિંગ હાથ ધરી મચ્છર ઉત્પતિ સબબ 402 આસામીઓને નોટિસ ફટકારી રૂા.4100નો વહીવટી ચાર્જ વસૂલ્યો
શહેરમા સતત વાદળછાયા વાતાવરણ અને વરસાદી ઝાપટાનાં કારણે શુધ્ધ પાણીમાથી ઉત્પન્ન થતા એડીસ મચ્છરે કાળો કેર વર્તાવ્યો છે . આરોગ્ય વિભાગનાં ડોર ટુ ડોર ચેકીંગ દરમ્યાન ડેન્ગ્યુનાં નવા પ કેસ તથા શરદી - ઉધરસ 867 , સામાન્ય તાવનાં 769 , ઝાડા - ઉલ્ટીનાં 109 , ટાઇફોઇડનાં ર અને કમળાનાં 3 નવા કેસ નોંધાતા મચ્છર ઉત્પતિ સબબ 402 આસામીઓને નોટીસ ફટકારી સ્થળ પર રૂા. 4100 નો વહીવટી ચાર્જ વસુલવામા આવ્યો હતો.
મચ્છર જન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.
વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.22/09/2025 થી તા.28/09/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 34879 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 925 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 411 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂવલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 300 અને કોર્મશીયલ 102 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે તથા 09 આસામી પાસેથી રૂૂા.4100/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ હતો.
ગોંડલમાં અઢી વર્ષની બાળકી સુતા બાદ ઉઠી જ નહીં: મોત
ગોંડલમાં અઢી વર્ષની બાળકી સુતા બાદ ઉઠી જ ન હતી. ગોંડલમાં પંચવટી સોસાયટીમાં રહેતાં અમિતભાઈ ગોહેલની પુત્રી દેવાંશી (ઉ.વ.અઢી) ગઈકાલે રાત્રે સુતા બાદ પરિવારજનો તેને ઉઠાળતા ઉઠતી ન હોય જેથી બેભાન હાલતમાં તેને સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃત્યુનું કારણ જાણવા બાળકીના મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક દેવાંશી એકભાઈની એકની એક નાની બહેન હતી. તેના પિતા એસબીઆઈ બેંકમાં કલાર્ક તરીકે નોકરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે.