રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મચ્છરોનો હાહાકાર: ડેન્ગ્યુ, મેલેરિયાના 5 નવા કેસ

03:34 PM Jul 15, 2024 IST | admin
Advertisement

ટાઈફોઈડ અને ઝાડા-ઊલટીના કેસમાં સતત વધારાથી આરોગ્ય વિભાગ ઊંધા માથે

Advertisement

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી હાથ ધરતા રોગચાળાના આંકડાઓ બહાર આવ્યા છે. જે મુજબ ભેજ વાળા વાતાવરણના કારણે મચ્છરોનો કહેર વધી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુ અને મેલેરીયાના નવા પાંચ કેસ તેમજ શરદી-ઉધરસના 1261, સામાન્ય તાવના 559 અને ઝાળા-ઉલ્ટીના 401 તથા ટાઇફોલ્ટના 4 કેસ અને કમળાનો 1 કેસ નોંધાતા ફોગીંગ અને પોરાનાશક કામગીરી વધુ તેજ બનાવી મચ્છર ઉત્પતિ સબબ 620 આસામીઓને નોટિસ ફટકારી રૂા.56 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 593 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 363 અને કોર્મશીયલ 257 આસામીને નોટીસ આ5વામાં આવેલ તથા રૂૂા.56,000/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10 ડ્ઢ 10 ડ્ઢ 10 નું સુત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા.

Tags :
dengyugujaratgujarat newsmeleriarajkotrajkot news
Advertisement
Next Article
Advertisement