For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મચ્છરજન્ય રોગચાળો કાબુમાં, શરદી-ઉધરસ બેકાબુ

04:58 PM Dec 08, 2025 IST | Bhumika
મચ્છરજન્ય રોગચાળો કાબુમાં  શરદી ઉધરસ બેકાબુ

આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન શરદી-ઉઘરસ 1276, તાવ-893 અને ઝાડા-ઉલ્ટીના 163 કેસ નોંધાયા

Advertisement

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન એકઠા થયેલ રોગચાળના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મચ્છર જન્ય રોગચાળો કાબુમાં હોવાનુ અને શરીદ-ઉઘરસના કેસ વધી રહ્યા હોવાનુ જણાવવામાં આવ્યું છે. જાહેર કરેલા આંકડા મુજક કમળાના-2 કેસ અને ટાઇફોઇડનો -1 અને ડેન્ગ્યુ -1 કેસ નોંધાયો છે. જેથી ગંદરી અને મચ્છર ઉત્પતી સબબ 79 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.મચ્છર જન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.01/12/2025 થી તા.07/12/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 7,572 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 786 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

Advertisement

મચ્છર જન્ય અને પાણી જન્ય રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 118 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ.લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 60 અને કોર્મશીયલ 19 આસામીને નોટીસ આ5વામાં આવેલ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement