ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાશ્મીરમાં મોરારીબાપુએ કથા મોકૂફ રાખી

03:59 PM Apr 23, 2025 IST | Bhumika
Advertisement

બધું બરાબર થઇ જશે તો કથા પૂર્ણ થશે, મૃતકોના પરિવારોને પાંચ લાખની સહાય આપવાની જાહેરાત

Advertisement

\
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મોત થયા બાદ પૂ. મોરારીબાપુએ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી શ્રી રામ કથા મોકુફ રાખવાની જાહેરાત કરી છે પૂ. મોરારીબાપુ 6પ વર્ષથી રામકથાનું રસપાન કરાવી રહયા છે. જેમાં કથા અડધેથી બંધ રાખી હોય તેવી 3-4 ઘટના બની છે.

સરકારે તો સિકયુરીટી વધારી દીધી છે. પરંતુ મોરારીબાપુએ માનવતાની દ્રષ્ટીએ કથા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે અને જમ્મુ - કાશ્મીરથી ગુજરાત આવવા પૂ. મોરારીબાપુ રવાના થયા છે આ સાથે બાપુએ મૃતકોના વારસો માટે રૂ. પાંચ - પાંચ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે .

પૂ. મોરારીબાપુએ કહયું કે કથાંનોંકોમા હરિ કથા અનંત હોવા છતાં, કથામાં કોઈ વિરામ કે વિરામ નથી, માત્ર પૂર્ણાહુતિ અને આગામી મંગલાચરણ માટેની તૈયારી છે. આ રીતે પૂજ્ય બાપુ દ્વારા 955 વાર્તાઓની શ્રેણી પૂર્ણ થઈ છે. પૂજ્ય બાપુએ 956મી કથાને પાંચ દિવસની આંશિક પૂર્ણાહુતિ આપીને, સમય અને સ્થળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને તમામ મનની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાશ્મીર કથાને ટૂંકો વિરામ આપ્યો છે. બાકીના ચાર દિવસમાં જ્યારે હનુમાન અને હરિની કૃપાથી બધુ બરાબર થઈ જશે તો કાશ્મીરમાં જ આ કથા પૂર્ણ થશે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે આતંકી હુમલામાં 27 પર્યટકોની હત્યા વિશે દુ:ખ પ્રગટ કરતાં પરમ પૂજ્ય મોરારી બાપૂએ માનસ શ્રીનગર રામકથામાં કહ્યું હતું કે, મારી વ્યાસપીઠ સાથે જોડાયેલા તમામ શ્રોતાઓ વતી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવું છું તથા જે વ્યક્તિઓ ઘાયલ થયાં છે તેઓ વહેલા સાજા થઇ જાય તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના.

તેમણે ઉમેર્યું હતું કે, કથા સાથે જોડાયેલા વ્યક્તિઓ સુરક્ષિત છે. હાલ, કોઇ પર્યટન હેતુ માટે ગયાં હોય અથવા પછીથી કથામાં સામેલ થનાર હોય તેમને કદાચ ક્ષતિ થઇ હોઇ શકે. આ ઘટના કથાના સ્થળેથી 100 કિમી દૂર ઘટી છે. અહીં સંપૂર્ણ સુરક્ષા છે, પરંતુ મનમાં પીડા છે. રામકથા સાથે જોડાયેલા હોય કે ન હોય, દરેક વ્યક્તિને મારી શ્રદ્ધાંજલિ. હું પરમ તોહી અરૂૂણભાઇને કહીશ કે દિવંગત વ્યક્તિઓના પરિવારોને રૂૂ. 5 લાખ તુલસીપત્રરૂૂપે સહાય આપવાની વ્યવસ્થા કરે .

Tags :
gujaratgujarat newsKashmir newsmorari bapu
Advertisement
Next Article
Advertisement