રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોટા થાવરિયાથી અલિયાબાડાને જોડતા ચાર કરોડના ખર્ચે નવનિર્મિત મેજરબ્રિજનું લોકાર્પણ કરતા મંત્રી રાઘવજીભાઈ

12:32 PM Feb 14, 2024 IST | Bhumika
Advertisement

રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના હાપા ગામમાં ર કિ.મી.ની લંબાઈના રૃા. 1.પ કરોડના ખર્ચે નવનિર્મિત સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કૃષિમંત્રીએ જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામથી અલિયાબાડા ગામને જોડતા રૃા. 4 કરોડના ખર્ચે નવનિર્મિત મેજર બ્રીજનું લોાર્પણ ર્યું હતું. મોટા થાવરિયાથી અલિયાબાડા ગામોની વચ્ચે હૂડકો નદીની ઉપર 1ર મીટરના 6 ગાળા ધરાવતા મેજરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, ’જામનગર તાલુકાના હાપા ગામમાં રૃા. 1.પ કરોડના ખર્ચે સીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મેટલ કામ, માટી કામ, સ્લેબ ડ્રેઈન, રોડ રિ રિસરફેસિંગ અને અન્ય જરૃરી કામગીરી સાથોસાથ પૂર્ણ રવામાં આવી છે. આ નવો રસ્તો બનવાથી ચોમાસાની ઋતુમાં ગ્રામજનોને અવર-જવર કરવામાં સરળતા રહેશે.’ મોટા થાવરિયામાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, ’જામનગર તાલુકાના અલિયાબાડાથી મોટા થાવરિયા ગામોને જોડતા મેજર બ્રીજની સુવિધાથી આજુબાજુના ગામોમાં ગ્રામજનો જલદીથી પહોંચી શકશે. તાજેતરમાં રૃા. 8 કરોડથી વધુના ખર્ચે રોડ રિકાર્પેટિંગ, ખીમરાણા ગામમાં કોઝ-વે અને ખીમરાણાથી મોટા થાવરિયા ગામને જોડતા નવા રસ્તાના વિકાસ કાર્યો પરિપૂર્ણ કરવામાં આવ્યા છે. તેમજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અનેકવિધ વિકાસકાર્યો સમગ્ર જામનગર જિલ્લામાં હાથ ધરવામાં આવ્યા છે.’

Advertisement

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement