રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જન્માષ્ટમી તહેવારોને લઇને રાજકોટ યાર્ડમાં તા.26 થી 2 સુધી મિનિ વેકેશન

04:54 PM Aug 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમી પર્વને લઇને 8 દિવસનું મિનિ વેકેશન જાહેર કરાયું છે. આ અંગે યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીએ જણાવ્યું હતું કે જન્માષ્ટમી પર્વ દરમિયાન યાર્ડમાં ખરીદ, વેચાણ અને હરરાજી બંધ રહેનાર હોવાથી ખેડુતો, વેપારીઓએ ધ્યાને લેવા જાણ કરાઇ છે.

યાર્ડમાં રખાયેલી રજામાં મુખ્ય બેડી યાર્ડ તા.26/8થી તા.2/9 સુધી સંપૂર્ણ બંધ રહેશે. જયારે જુદી જુદી પેટા યાર્ડોમાં જાહેર કરાયેલી રજામાં તા.25 થી 28 દરમિયાન શાકભાજી વિભાગ તા.25 થી 27 બટેટા વિભાગ, તા.25 થી 28 ડુંગળી વિભાગ અને તા.26 થી 27 એક દિવસ સબયાર્ડનો ઘાસચારા વિભાગ બંધ રહેશે.
ઉપરોકત જાહેર થયેલી રજાઓના દિવસોને ધ્યાને લઇ ખેડૂતોએ કોઇ પણ જણસી લઇને બેડી યાર્ડમાં ન આવવા યાર્ડ દ્વારા જણાવાયું છે.

Tags :
gujaratgujarat newsJanmashtamiMini vacationrajkotrajkot newsRajkot yard
Advertisement
Next Article
Advertisement