રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રહલાદ પ્લોટમાં બીજા માળે ગેલેરીમાંથી પટકાતાં નેપાળી આધેડનું મોત નીપજ્યું

04:59 PM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

શહેરના પ્રહલાદ પ્લોટમાં રહેતા અને ખાણી-પીણીનો ધંધો કરતા નેપાળી પ્રૌઢનું બીજા માળે ગેલેરીમાંથી પટકાતા ગંભીર ઇજા થતા મોત નીપજયું છે.જાણવા મળતી વિગત મુજબ મુળ નેપાળના અને હાલ પ્રહલાદ પ્લોટ શેરી નં.4માં રહેતા અને કરણસિંહજી મંદિર પાસે ખાણી-પીણીનો ધંધો કરતા માનસીંગ ધર્મબાહદુર ચંદ (ઉ.વ.50)નામના પ્રૌઢ ગત રાત્રે 10 વાગ્યે ઉજ્જમ ચેમ્બરમાં બીજા માળે પોતાના રૂમે હતા ત્યારે આ માળની વચ્ચેના ભાગે આવેલી ખૂલ્લી ગેલેરીમાંથી પટકાતા ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 108ના ઇએમટી દિપકભાઇએ મરણ જાહેર કરી એ-ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ ત્રણ ભાઇ ત્રણ બહેનમાં મોટા અને તેમને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ આ પ્રૌઢ અગાઉ પણ આ રીતે સીડી પરથી પટકાયા ત્યારે ઇજા થઇ હતી જો કે ત્યારે બચી ગયા હતા.આ વખતે ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. આ બનાવથી નેપાળી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement