ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખોડિયારનગરનાં આધેડનું હૃદયરોગના હુમલાથી મોત

04:18 PM Oct 15, 2025 IST | Bhumika
Advertisement

શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકામ મચાવ્યો હોય તેમ વધુ એક આધેડનું હૃદય બેસી ગયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ખોડીયારનગર મેઈન રોડ પર રહેતાં 50 વર્ષના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં ખોડીયાનગર મેઈન રોડ પર રહેતાં અને નાગરિક બેંકમાં કોન્ટ્રાકટ બેઈઝ પર સિકયુરિટી ગાર્ડમાં નોકરી કરતાં રણજીતભાઈ કાનાભાઈ ગઢવી નામના 50 વર્ષના આધેડ સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઉપરાંત બીજા બનાવમાં જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમાં રહેતાં હેમતભાઈ રમેશભાઈ બજાજ (ઉ.44) પોતાના ઘરે હતા ંત્યારે બિમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement