ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માણાવદરના ઊંટડી ગામે ભેંસે ઢીંકે ચડાવતાં ઘવાયેલા આધેડનું મોત

12:16 PM Oct 18, 2025 IST | Bhumika
oplus_262144
Advertisement

પ્રભાસપાટણમાં યુવકનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

Advertisement

માણાવદરનાં ઉટડી ગામે ભેંસને બાંધવા જતાં આધેડના પગમાં દોરડુ વિટવાઈ જતાં આધેડ પડી ગયા હતાં તે દરમિયાન ભેંસે ઢીક મારતાં આધેડને ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા આધેડનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. માણાવદરનાં ઉટડી ગામે રહેતાં દેવશીભાઈ બિજલભાઈ સોંદરવા નામના 58 વર્ષના આધેડ ત્રણ દિવસ પૂર્વે પોતાની વાડીએ ભેંસને બાંધવા જતાં પગના ભાગે દોરડુ વિટવાઈ જતાં પડી ગયા હતાં.

તે દરમિયાન ભેંસે દેવશીભાઈને ઢીક મારતાં ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા દેવશીભાઈ સોંદરવાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ ઉપરાંત બીજા બનાવમાં સોમનાથના પ્રભાસપાટણ ગામે રહેતાં કમલેશ બાબુભાઈ ખીમાણીયા નામના 31 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે હતો ત્યારે મધરાત્રે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsManavadarmanavadar news
Advertisement
Next Article
Advertisement