સોમનાથના ત્રિવેણી સંગમમાં મેંદરડાના યુવાનનું ડૂબી જતાં મોત
સોમનાથ ત્રિવેણી સંગમ મા હિરણ અને સરસ્વતી નદી મા ગીર વિસ્તારમાં ભારે વરસાદ ને કારણે પુર આવેલ જેથી ત્રિવેણી સંગમ મા ભારે પાણી આવતા ત્રિવેણી ધાટ ઉપર પાણી ફરી વળ્યા હતા અને આ પાણીમા લોકો સ્નાન કરી રહેલ હતા તે દરમ્યાન એક વ્યક્તિ પાણીમા ડુબી રહેલ હતા ત્યારે તેમને બચાવવા મેદરડા ના અંકિતભાઈ નરસીભાઈ કાનાણી ઉ.વ.25 તે ડુબતી વ્યક્તિ ને બચાવવા જતાં તેવો ડુબી ગયા હતા આ બાબત ની જાણ પ્રભાસપાટણ પોલીસમા થતા તેઓન એ તાત્કાલિક ત્રિવેણી સંગમ મા બોટ ચલાવતા અપારનાથી મહેશગીરી રેવાગીરી ને જાણ કરવામાં આવેલ અને મહેશ બાપુ તાત્કાલિક તેમની બે બોટ અને 6 લોકો સાથે ત્રિવેણી સંગમ મા આ વ્યક્તિ ને બચાવવા કામગીરી હાથ ધરવામાં આવેલ અને આ વ્યક્તિ ને પાણી પીધેલ હાલમાં ત્રિવેણી સંગમ કિનારે લાવેલ અને ત્યાંથી તાત્કાલિક પ્રભાસપાટણ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવેલ ત્યાં ફરજ પરના ડો નિતિન પટેલ દ્વારા તપાસ કરવામાં આવેલ અને મેંદરડા ના મોટી ખોડિયાર ના અંકિત નરસીભાઈ કાનાણી ઉ વ 25 ને મૃત જાહેર કરવામાં આવેલ છે આ બાબત ની જાણ થતાં પરીવાર મા શોક નુ મોજું ફરી વળ્યું હતું.