ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મનપા નવરાત્રિ માટે 6 મેદાન ભાડેથી આપશે

03:44 PM Sep 04, 2025 IST | Bhumika
Advertisement

તા.11 સપ્ટેમ્બર સુધીમાં ટેન્ડર ભરવા ગરબા આયોજકોને અનુરોધ

Advertisement

મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિ નજીક આવતા મુખ્ય માર્ગો ઉપર ખાલી પડેલા મોકાના છ પ્લોટ ગરબા આયોજકોને ભાડે આપવા માટે આજે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે અને તા.11/9/25 સુધીમાં પ્લોટ ભાડે રાખવા માંગતા આયજકોએ ટેન્ડર ભરી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જન્માષ્ટમી દરમિયાન એસઓપીના લીધે મેળા માટે આયોજકોએ મેદાન ભાડે ન રાખતા મનપાને મોટી નુકસાની થઇ છે.

અને હવે નવરાત્રિ નજીક આવતા ફરી વખત આજ છ પ્લોટ ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.
અલગ અલગ વિસ્તારોમાં આવેલા અલગ અલગ ક્ષેત્રફળ ધરાવતા મેદાનો માટે રૂા.6 અને રૂા.5 પ્રતિચોરસ મીટર પ્રતિદિનનુ ભાડુ રાખવામાં આવ્યુ છે.તેમજ તમામ પ્લોટ ભાડે રાખવામાં માટે ઇએમડીની રકમ રૂા.1 લાખ નક્કી કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsNAVRATRIrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement