ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હાઇકોર્ટના જસ્ટિસ સંદિપ ભટ્ટની બદલીના વિરોધમાં કાલે રાજકોટમાં વકીલોની હડતાલ

05:06 PM Aug 27, 2025 IST | Bhumika
Advertisement

સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા દેશની વિવિધ હાઈકોર્ટના 14 જજોની બદલીની ભલામણ કરવામા આવી છે જેમા ગુજરાત હાઇકોર્ટના બે ન્યાયાધીશની બદલી કરવામાં આવતા જસ્ટિસ જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં વકીલોમા નારાજગી જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટ બાર એશોસીએશને કરેલા ઠરાવને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આગામી તા.28/8/2025ના રોજ તમામ પ્રકારની કાનૂની કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું સર્વાનુંમતે ઠરાવવામાં આવ્યું છે.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા દેશની વિવિધ હાઈકોર્ટના 14 જજોની બદલીની ભલામણ કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશ જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ. રોયનો પણ સમાવેશ થાય છે. કોલેજિયમે જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની બદલી મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં અને જસ્ટિસ રોયની બદલી આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં કરવાની ભલામણ કરી છે.

જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાતભરના વકીલોમાં રોષ ફાટી નીકળ્યો છે. અને બદલીને નિર્ણય સામે વિરોધો નોંધાવવામાં આવી રહ્યા છે. રાજકોટ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટ બાર એશોસીએશને કરેલા ઠરાવને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આગામી તા.28/8/2025ના રોજ તમામ પ્રકારની કાનૂની કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું સર્વાનુંમતે ઠરાવવામાં આવ્યું છે. ગુજરાત રાજયના જસ્ટીસ સંદિપ એન. ભટ્ટ સાહેબની બદલી ગુજરાત હાઈકોર્ટમાં આંતરિક રાજકારણ અને જૂથવાદના કારણે થઈ હોવાનું માની જયુડીસ્યરીની ગરીમાને લાંછન લાગે તેવી હોય જેથી તેઓની બદલીનો આદેશ પાછો ખેંચવા માટે સુપ્રિમ કોર્ટના કોલેજીયમ સમક્ષ રજુઆત કરવા તથા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ અને કોલેજીયમના સભ્યો સમક્ષ રજુઆત કરવાનું સર્વાનુંમતે ઠરાવવામાં આવ્યું છે.

Tags :
gujaratgujarat newsLawyersrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement