રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

છેલ્લા જય શ્રીકૃષ્ણ…. બનેવીને કોલ કરી પરિણીતાનો ઝેર પી આપઘાત

04:05 PM Jul 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મવડી ચોકડી પાસે શક્તિનગરનો બનાવ: પરિવારમાં શોક છવાયો

દોઢસો ફૂટ રીંગ રોડ પરના અયોધ્યા ચોક પાસેના લક્ષ્મણ ઝુલા સોસાયટી-રમાં રહેતા મહિલાએ બનેવીને આપણા છેલ્લા જય શ્રીકૃષ્ણ કહી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

બનાવની વિગતો મુજબ,લક્ષ્મણ ઝુલા સોસાયટીમાં રહેતા ભવનાબેન ઉર્ફે મનીષાબેન જગદીશભાઈ વસોયા(ઉ.48) નામની મહિલાએ મવડી ચોકડી પાસેના શકિતનગર-2માં આવેલા મકાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.આ અંગેની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ બી.ડી.ઠાકોર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથધરી હતી.

પોલીસ તપાસમાં મૃતક ભાવનાબેન ઉર્ફે મનીષાબેન શકિતનગરમાં આવેલા બીજા મકાનમાં જયોત બ્યુટીપાર્લર નામે પાર્લર ચલાવતા હતા અને પતિ જગદીશભાઈ લક્ષ્મણ ઝુલા સોસાયટીમાં ઘર પાસે ડેરી ફાર્મ ધરાવતા હતા.
મૃતક ભાવનાબેનએ બ્યુટીપાર્લરમાં ઝેરી દવા પીધા બાદ ગોંડલ રહેતા બનેવી કમલેશભાઈને ફોન કરી છેલ્લા જય શ્રીકૃષ્ણ કરી દવા પીધાની જાણ કરતા બનેવીએ તેના પતિ જગદીશભાઈને જાણ કરતાં તાકીદે બ્યુટીપાર્લરે પહોંચી હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી.પ્રાથમિક તપાસ મૃતક ભાવનાબેનનો સ્વભાવ તામસી હતો અને પતિ જગદીશભાઈ સાથે આ ત્રીજા લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement