For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત હા.કો.ના જસ્ટિસ અંજારિયા બનશે કર્ણાટકના ચીફ જસ્ટિસ

05:44 PM Feb 08, 2024 IST | Bhumika
ગુજરાત હા કો ના જસ્ટિસ અંજારિયા બનશે કર્ણાટકના ચીફ જસ્ટિસ

સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા ભલામણ

Advertisement

સુપ્રીમ કોર્ટના કોલેજિયમે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એન.વી. અંજારિયાને કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી. આ નિમણૂક કર્ણાટક હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પી.એસ. દિનેશકુમારની નિવૃત્તિ પર થશે, જેઓ 24 ફેબ્રુઆરીએ પદ છોડવાના છે. જસ્ટિસ અંજારિયાની 21 નવેમ્બર, 2011ના રોજ ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.હાઈકોર્ટના જજ તરીકે બઢતી મેળવતા પહેલા, તેમણે સિવિલ, બંધારણીય, કંપની કાયદો, શ્રમ અને સેવા બાબતોમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પ્રેક્ટિસ કરી હતી અને સિવિલ અને બંધારણીય બાબતોમાં નિપુણતા મેળવી હતી. જસ્ટિસ એન.વીઅંજારિયા મૂળ કચ્છ જિલ્લાના વતની છે.

તેમના નામની ભલામણ કરતી વખતે, કોલેજિયમે એ હકીકતને ધ્યાનમાં લીધી છે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોમાંથી એક, ન્યાયમૂર્તિ આશિષ જે. દેસાઈ, જેમની મૂળ હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ છે, હાલમાં કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્ય કરે છે. જસ્ટિસ આશિષ જે. દેસાઈ 4 જુલાઈ, 2024ના રોજ પદ પરથી નિવૃત્ત થવાના છે. આથી જસ્ટિસ એન.વી. અંજારિયાની ભલામણ કરવામાં આવી છે. તમામ સંબંધિત પરિબળોને ધ્યાનમાં લેતા, કોલેજિયમે જણાવ્યું હતું કે જસ્ટિસ અંજારિયાને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવા માટે તમામ પાસાઓમાં યોગ્ય માનવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement