રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાલાવડના જામવાડીમાં જેટકોના કર્મીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

04:48 PM Mar 29, 2025 IST | Bhumika
oplus_2097184
Advertisement

એકલવાયા જીવનથી કંટાળી પગલુ ભર્યાનું ખુલ્યુ : સારવારમાં ખસેડાયો

Advertisement

કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામના વતની અને હાલ જામવાડી ગામે આવેલ જેટકો ક્વાર્ટરમાં રહેતા જેટકોના કર્મચારીએ એકલવાયા જીવનથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડના નપાણીયા ખીજડીયા ગામના વતની અને હાલ જામવાડી ગામે આવેલા જેટકો ક્વાર્ટરમાં રહેતા અને જેટકોમાં જ નોકરી કરતા વિપુલભાઈ આલજીભાઈ પરમાર નામનો 28 વર્ષનો યુવાન સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ક્વાર્ટરમાં હતો. ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં વિપુલ પરમાર બે ભાઈમાં નાનો અને અપરિણીત છે અને છેલ્લા એક વર્ષથી જેટકોમાં આસિસ્ટન્ટ લાઈનમેન તરીકે ફરજ બજાવે છે. વિપુલ પરમારે એકલવાયા જીવનથી કંટાળી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કાલાવડ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement