For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે બાળકો જન્મતાની સાથે જ મોતને ભેટતા આઘાતમાં જનેતા એ જીવન ટૂંકાવ્યું

03:46 PM Oct 18, 2024 IST | admin
બે બાળકો જન્મતાની સાથે જ મોતને ભેટતા આઘાતમાં જનેતા એ જીવન ટૂંકાવ્યું

ઘરમાં જ ગળાફાંસો ખાઇ લીધો, માલિયાસણની કરુણ ઘટના

Advertisement

રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ ગામે રહેતી કાજલબેન મોનાભાઈ ટોયટા (ઉ.વ.25) એ ગઈકાલે પોતાના ઘરે પંખાના હુકમ સાડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવથી ભરવાડ સમાજમાં ઘેરો શોક છવાઈ ગયો હતો. લગ્નના ચાર વર્ષમાં બે બાળકોને ગુમાવતાં કાજલબેન ટોયટાએ આઘાતમાં આવી આ પગલું ભરી લીધું હતું.પગલાંથી પોલીસ પણ દોડી ગઈ હતી અને જરૂૂરી કાર્યવાહી કરી હતી.બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને કુવાડવા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

મૃતકના સબંધીએ જણાવ્યા અનુસાર,મૃતકનું માવતર મોરબી રોડ પર આવેલ વેલનાથપરામાં આવેલું છે. તેણીના ચાર વર્ષ પહેલાં માલિયાસણ રહેતાં મોનાભાઈ સાથે લગ્ન થયાં હતા. લગ્ન બાદ તેણી સાસુ-સસરા, દિયર અને દેરાણી સાથે સંયુક્ત પરીવારમાં રહેતી હતી.લગ્નના એક વર્ષ બાદ તેણીને સારા દિવસો રહ્યાં હતાં અને ગર્ભવતી થયાના આઠમાં માસે તેણીએ બાળકને જન્મ આપ્યો હતો અને પરીવારમાં હરખ છવાઈ ગયો હતો.આઠમા માસે જન્મેલ બાળકને પેટીમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો અને દોઢ માસની સારવારના અંતે તેમનું મોત નિપજતાં જનેતા અને પરીવારમાં શોક વ્યાપી ગયો હતો.

Advertisement

બાદમાં ફરીવાર તેણીને સારા દિવસો જતા હતા અને ગર્ભવતી બની હતી.પરંતુ અધૂરા પાંચમા માસે પ્રસુતા થઈ જતાં એક દિવસની ટૂંકી સારવારમાં બાળકે દમ તોડી દિધો હતો.જે બાદ તે આઘાતમાં સારી પડી હતી.તેણીના પતિ અને સસરા પશુ પાલનનું કામ કરતાં હોય જેથી ગઈકાલે તેઓ સવારે પશુને લઈ ઘરેથી નીકળી ગયાં હતાં.સાસુ અને દિયર પણ કામ પર ગયા હતાં.

દેરાણી પણ ગર્ભવતી હોય તે ઉપરના માળે આરામ કરતી હતી ત્યારે પરિણીતા કાજલે નીચેના રૂૂમમાં આ પગલું ભરી લીધું હતું.બપોરના સમયે ઘરે આવેલ સાસુએ જોતા પુત્રવધુને લટકતી જોઈ દેકારો કરી મુકતા આજુ બાજુના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા.તેમજ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement