રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પુત્રીએ પ્રેમલગ્ન કરતાં પિતાએ પુત્ર સાથે ભાદરમાં ઝંપલાવી આપઘાત કર્યાનું ખુલ્યું

12:27 PM Sep 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ધોરાજી નજીક ભાદર નદીના પુલ ઉપરથી ગઈકાલે જૂનાગઢના રીક્ષા ચાલકે પોતાના માસુમ પુત્રને નદીમાં ફેંકી પોતે પણ આપઘાત કરી લીધો હોય આ ઘટનાની તપાસમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં પુત્રની હત્યા કરી આપઘાત કરી લેનાર રીક્ષા ચાલકની મોટી પુત્રીએ પાડોશમાં રહેતાં પટેલ યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હોય જે બનાવથી વ્યથીત થઈને રીક્ષા ચાલકે આ પગલું ભરી લીધું હોય આ બનાવમાં મૃતકના સાળાની ફરિયાદના આધારે મૃતક રીક્ષા ચાલક સામે પુત્રની હત્યાનો ગુનો નોંધાયો છે.

મળતી વિગતો મુજબ, જૂનાગઢના પાંજરાપોળ પાસે દાતાર રોડ પર રહેતા રીક્ષા ચાલક હિરેન નિરંજનભાઈ જસ્વાલ પોતાની પુત્રી દ્રષ્ટિ અને નવ વર્ષના પુત્ર રિયાન્સને લઈને ધોરાજી ફરવા આવ્યા બાદ મોડી સાંજે રિયાન્સને અને પુત્રી દ્રષ્ટિને ભાદર નદીના પુલ ઉપર ઉભા રાખી રિયાન્સને ભાદર નદીના પુલ ઉપરથી ફેંકવા જતાં પુત્રી દ્રષ્ટિએ ભાઈ રિયાન્સને પકડી રાખ્યો હતો છતાં હિરેને ઝટકો મારી દ્રષ્ટિના હાથમાંથી રિયાન્સને મુકાવી દઈ પુત્રીને ભાદર નદીના પુલ ઉપરથી નીચે ફેંકી દઈ પોતે પણ પૂલ ઉપરથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ મામલે મૃતકના સાળા અજય ભરત જસ્વાલની ફરિયાદના આધારે ધોરાજી પોલીસે ગુનો નોંધ્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ, મૃતક હિરેનની મોટી પુત્રી પ્રિયંકા ઉર્ફે નંદનીએ પાંચેક મહિના પહેલા પાડોશમાં રહેતા પ્રકાશ પટેલ સાથે પરિવારની મરજી વિરૂધ્ધ પ્રેમ લગ્ન કર્યા હોય જેથી હિરેન જસ્વાલ સતત ટેન્શનમાં રહેતો હતો. સ્વભાવે ગુસ્સાવાળો હિરેન આ ઘટનાથી વ્યથીત થઈને પોતાની પુત્રી દ્રષ્ટિ અને પુત્ર રિયાન્સ સાથે ગઈકાલે ધોરાજી આવ્યો હોય અને તેણે પુત્રને પુલ ઉપરથી નદીમાં ફેંકી પોતે પણ આપઘાત કરી લીધો હતો. આ મામલે તેની સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

Tags :
dhorajigujaratgujarat newssuicide
Advertisement
Next Article
Advertisement