રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પોલીસ કર્મચારીઓની બદલી બાદ 16 PSIની આંતરિક બદલી

04:17 PM Sep 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

એ ડિવિઝનના એમ.કે.મોવલિયાને ક્રાઈમ બ્રાંચ અને રીડરમાં બે પીએસઆઈ મુકાયા

સતત બીજા દિવસે માગણી મુજબની બદલીના હુકમ કરતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા

રાજકોટમાં શહેર પોલીસ વિભાગમાં બદલી બઢતીનો દોર યથાવત હોય તેમ પોલીસ કમિશનર દ્વારા પીઆઈ અને ત્યાર બાદ એએસઆઈ ,હેડ કોન્ટેબલ અને કોન્ટેબલની માંગણી મુજબ બદલી કર્યા બાદ બીજા દિવસે 16 પીએસઆઈની માંગણી મુજબની આંતરિક બદલીના હુકમ કર્યા છે.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગત માસે હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે અને પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી સાથે બદલી કર્યા બાદ 11 પી.આઈની બદલી કરી હતી. ત્યારબાદ ગઈકાલે 44 પોલીસ કમર્ચારીઓને માંગણી મુજબ બદલી કરી આપ્યા બાદ સતત બીજા દિવસે બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં 16 પીએસઆઇની આંતરિક બદલી કરવમાં આવી છે. આ બદલીમાં એ ડિવિઝનના પીએસઆઈ એમ.કે.મોવલીયાને ક્રાઈમ બ્રાંચ,માલવીયાનગરના પી.એસ.આઈ સી. એચ.વાછાણી ને ટ્રાફિક શાખામાં, ભકિતનગર પોલીસ મથકના પી. જી રોહડીયાને ગાંધીગ્રામ, ટ્રાફિક શાખાના સી.વી.ચુડાસમાને થોરાળા,કંટ્રોલના પીએસઆઈ કે.એસ.મિશ્રાને ટ્રાફિકમાં,પ્રનગરના પીએસઆઈ કે.એસ.ભગોરાને ટ્રાફિક શાખામાં, રીડર બ્રાંચના પીએસઆઈ જે.આર.સોલંકીને બી ડિવિઝન, એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઈ એ.કે.રાઠોડને ટ્રાફિક શાખા, ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ વી.એચ.પરમારને બી ડિવિઝન, યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ બી.આર. ભરવાડને તાલુકા પોલીસ મથકમાં, યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ વી.એન.બોદરને ટ્રાફિક શાખા, બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એમ.આઈ.શેખને તાલુકા પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખાના પીએસઆઈ જે.જી.રાણાને આજીડેમ પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીએસઆઈ આઈ.આઈ. કટીયાને ટ્રાફિક શાખા, એમઓબીના પીએસઆઈ એસ.એમ. વઘાસીયાને રીડર બ્રાંચ અને એસ.એસ. સ્કવોડના પીએસઆઈ સી.એમ.કુંભાણી રીડર બ્રાંચમાં મુકવામાં આવ્યા છે.

Tags :
gujaratgujarat newspolicepolice Transferrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement