અંબાજી મંદિરના 20 કિ.મી.માં યાત્રિકોને અપાશે વીમા કવચ
અંબાજીમાં ભાદરવી પુનમના મેળામાં લાખોની સંખ્યામાં માંઇ ભક્તો ઉમટી પડતા હોવાથી ભાવિકો કોઇ દુર્ઘટનાનો ભોગ બને તો તેને વિમા કવચ આપવા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે અને અંબાજી મંદિરથી 20 કિલોમીટર વિસ્તારમાં ભાવિકોને દુર્ઘટના નડે તો યાત્રિકોને વિમાનુ કવચન આપવા નિર્ણય લેવાયો છે.
આમ તો ધર્મસ્થાનોની આર્થીક સધ્ધરતાં વધતાં ને પ્રવર્તમાન પરિસ્થિતિમાં આંતકવાદી કે ભાંગફોડીયા પ્રવુર્તી અને માનવ સર્જીત તેમજ કુદરતી હોનારતો સામે યાત્રિકોની વિમા કવચથી સુરક્ષિત કરી દેવાયા છે. 12 સપ્ટેમ્બરથી શરૂૂ થયેલાં ભાદરવી પુનમના મેળામાં મુળ અંબાજી ધામથી 20 કિલોમીટરનાં વિસ્તારમાં જો કોઇ આવી ઘટના બને તો યાત્રિકોને વિમાનું લાભ મળી શકે છે.જેનાં માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રુપીયાની માતબર રકમનો વિમો ઉતરાવ્યો છે. જેનું પ્રીમીયમ મોટી રકમનું ધી ન્યુ ઈન્ડીયા એશ્યોરન્સ કંપની લી.ને મંદિર ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવ્યુ છે. આ વીમાની રકમ અસર ગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણનાં અનુસાર નક્કી કરવામાં આવશે.