ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ જેલમાં કેદીએ દિવાલ કૂદી ભાગવાનો પ્રયાસ કરતા ઘવાયો

03:46 PM May 08, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટની સેન્ટ્રલ જેલમાં ગઈકાલે જામનગરના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીએ દિવાલ કુદી ભાગવાનો પ્રયાસ કરતાં દોડધામ મચી ગઇ હતી.

Advertisement

આ ઘટનામાં કેદીને પગના ભાગે ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્ર.નગર પોલીસે પ્રીજનર એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટની મધ્યસ્થ જેલમાં જામનગરના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી આદમ ઉર્ફે જાવેદ ઉર્ફે આમદ સીદિકભાઈ સંધી (ઉ.વ. 50, રહે. ભગવતી સોસા. દુધ સાગર રોડ) આજે જેલમાં હતો ત્યારે જેલની મુખ્ય દિવાલ કુદી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે બહારના ભાગે પડી જતાં જેલના સ્ટાફે તેને પકડી લેતા ભાગવામાં નિષ્ફળતા મળી હતી.

ઘટનાને પગલે કેદી આદમને ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે જાણ કરાતા પ્ર.નગર પોલીસના સ્ટાફે હોસ્પિટલે પહોંચી જરૂૂરી કાર્યવાહી કર્યા બાદ મધ્યસ્થ જેલના ઇન્ચાર્જ જેલર ગ્રુપ- રના અશોકસિંહ રાઠોડ (ઉ.વ. 38)ની ફરિયાદ પરથી આદમ ઉર્ફે જાવેદ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.

Tags :
gujaratgujarat newsrajkotRajkot jailrajkot news
Advertisement
Advertisement