રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પોરબંદર મત વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ મારી નેમ: ડો.માંડવિયા

11:54 AM Mar 11, 2024 IST | Bhumika
Advertisement

પોરબંદર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ મંડાવિયા આજરોજ "ગુજરાત મિરર" કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને ગુજરાત મિરર ના તંત્રી સંજય પટેલ સાથે નિખાલસ ચર્ચા કરી હતી. તેમણે પોરબંદર લોકસભા બેઠક 5.51 લાખ કરતા વધુ લીડ થી જીતવા સાથે એન ડી એ ને 400થી વધુ બેઠકો મળશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ડો. મંડાવિયા "ગુજરાત મિરર"ના કલરફુલ પ્રિન્ટિંગ અને માહિતી સહિતની બાબતો નિહાળી પ્રભાવિત થયા હતા.

Advertisement

પોરબંદર લોકસભા માટે વિસ્તાર અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, પોરબંદર વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ કરવો એ મારી પ્રાથમિકતા રહેશે. તેમણે જણાવેલ કે, ઔદ્યોગિક વિકાસ વગર સમૃદ્ધિ શક્ય નથી. ઔદ્યોગિક વિકાસ થકી જ લોકોના જીવનમાં સુખાકારી લાવી શકાય છે. પોરબંદર મત વિસ્તાર તો વિવિધતાઓથી ભરેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં વિકાસ માટે અનેક તકો પણ છે. આગામી સમયમાં હું આ વિસ્તારની સર્વાંગી વિકાસ મારે તમામ પપ્રયત્નો કરીશ અને પોરબંદર મત વિસ્તારને દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર ગણવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પોરબંદર લોકસભા બેઠકની ટિકિટ મળ્યા બાદ ગઈકાલથી ડો.મનસુખભાઇ મંડાવિયાએ મત વિસ્તારમાં પ્રવાસ શરુ કરેલ છે અને વીરપુરથી ખોડલધામ સુધીની પદયાત્રા પણ કરી હતી. ડો. મંડાવિયા "ગુજરાત મિરર"ની મુલાકાતે આવ્યા તે દરમિયાન ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા રાજુભાઈ ધ્રુવ પણ સાથે હતા.

Tags :
gujaratgujarat newsMANSUKH MANDAVIYArajkotrajkot news
Advertisement
Next Article
Advertisement