રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિરપુરમાં જમવાનું બનાવવા બાબતે માતાની હત્યા કરનાર પુત્ર ઝડપાયો

12:33 PM Jul 29, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વિરપુર તાલુકાના નાડા ગામમાં એક પુત્રએ માતા પાસે જમવાનું માગવા બાબતે ઝઘડો થતાં પુત્રએ માતાને ગડદાપાટુનો માર મારી તથા લાકડીની ઝાપોટ મારી મોતને ઘાટ ઉતારી હતી. માતાનું મૃત્યુ થયું હોવાનું માલુમ પડતાં પુત્ર જંગલમાં નાસી ગયો હતો. આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ વિરપુર પોલીસ મથકે પુત્ર વિરૂૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારા પુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુર તાલુકાના નાડા ગામમાં રમેશભાઈ રામાભાઈ માલીવાડ રહે છે. તેઓ તથા તેમના પત્ની રાત્રીના સમયે પોતાના મકાઈના ખેતરમાં ભુંડ આવતા હોય તપાસ કરવા માટે ખેતરમાં ગયા હતા. આ વખતે તેઓનો પુત્ર પર્વતભાઇ ઉ.વ.20 ઘરે આવી માતાને ન જોતા ઉશ્કેરાઈ ગયો હતો. આ દરમ્યાન તેની માતા મધીબેન ઘરે આવતા પર્વતે માતા પાસે જમવાનું માંગતા મધીબેને થોડીવાર લાગશે તેમ કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો. અને માતાને ગડદાપાટુનો માર મારી લાકડીની ઝાપોટ માથાના ભાગે મારી લોહી લુહાણ કરી દીધી હતી.
ગંભીર રીતે ઘવાયેલ મધીબેનનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. દરમ્યાન પર્વત રાત્રીના સમયે જંગલ વિસ્તરમાં નાસી ગયો હતો. આ બનાવ સંદર્ભે રમેશભાઈ માલીવાડે સવારે વિરપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતક મધુબેનની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પીટલમાં મોકલી આપી હતી. આ સંદર્ભે રમેશભાઇ માલીવાડની ફરિયાદના આધારે વિરપુર પોલીસે પર્વત માલીવાડ વિરૂૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસે પર્વત માલીવાડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsVirpurVirpur news
Advertisement
Next Article
Advertisement