રાજકોટ રાજપરિવારમાં આનંદ ભયો, માંધાતાસિંહ બન્યા દાદાબાપુ
32 વર્ષ બાદ રાજકુમારનું આગમન, પુત્ર યુવરાજ જયદીપસિંહ અને શિવાત્મિકાદેવીને ત્યાં પુત્રનો જન્મ
રાજકોટના રાજવી પરિવારના આંગણે 32 વર્ષ બાદ પુત્રનું અવતરણ થતા રાજપરિવાર અને નગરજનોમાં આનંદની લાગણી છવાઈ છે. નવ વર્ષ પહેલા માંધાતાસિંહજી નાના બાપુ બન્યા હતાં હવે દાદાબાપુ બની ગયા છે.
રાજકોટના રાજવી પરિવારમાં 32 વર્ષમાં પ્રથમ સંતાન એવા યુવાન રાજકુમારના આગમનની રાજકોટવાસીઓ ઉજવણી કરી રહ્યા છે. રવિવારના રોજ રણજિત વિલાસ પેલેસ આનંદમાં હતો જ્યારે રાજા માંધાતાસિંહજીના પુત્ર યુવરાજ જયદીપસિંહ, જેને પ્રેમથી રામ રાજા તરીકે ઓળખવામાં આવે છે અને તેમની પત્ની યુવરાણી શિવાત્મિકા દેવીએ પુત્રને જન્મ આપ્યો હતો.રાજસ્થાનના ડુંગરપુરની રહેવાસી યુવરાણી શિવાત્મિકા દેવીએ રવિવારે સવારે 9.30 વાગ્યે મુંબઈમાં બાળકને જન્મ આપ્યો હતો.
માતા અને નવજાતની તબિયત સારી છે.નવ વર્ષ પહેલા, માંધાતાસિંહજીની પુત્રી કૌરાણીસા મૃગેશાકુમારીજી સિંઘ (લક્ષ્મીરાજા)ને એક બાળકને જન્મ આપ્યો હતો ત્યારે ઠાકોર માંધાતાસિંહજી નાના બાપુ બન્યા હતાં. હવે ઠાકોર માંધાતાસિંહજી હવે નવજાત રાજકુમારના દાદા બાપુ બની ગયા છે. પરિવારમાં નવા ઉમેરાને આવકારતા, પ્રસન્ન માંધાતાસિંહજીએ તેમના પરિવારના દેવતાઓ મા આશાપુરા અને દ્વારકાધીશનો આભાર વ્યક્ત કર્યો. માંધાતાસિંહજી આવતીકાલે નવજાત શિશુને મળવા મુંબઈ જવા રવાના થશે. બ્રિટિશ શાસન દરમિયાન રાજકોટ ભારતના રજવાડાઓમાંનું એક હતું જે બોમ્બે પ્રેસિડેન્સીની કાઠિયાવાડ એજન્સીનું હતું. માંધાતાસિંહજી જાડેજાએ 30 જાન્યુઆરી, 2020 ના રોજ 1940 થી 80 વર્ષ પછી તેના પ્રકારના પ્રથમ સમારોહમાં રાજા તરીકે શપથ લીધા હતા.