રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પરસાણાનગરમાં સંતાન મુદ્દેે દંપતી વચ્ચે રકઝક થતા પતિએ ફિનાઇલ પીધું

04:10 PM Aug 13, 2024 IST | admin
Advertisement

નવલનગરમાં યુવતી અને આશાપુરાનગરમાં વૃદ્ધે જવલનશીલ પ્રવાહી પી લેતા તબિયત લથડી

Advertisement

શહેરમાં જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમાં દંપતિ વચ્ચે સંતાનો મુદ્દે રકઝક થતા પતિએ ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જામનગર રોડ ઉપર આવેલા પરસાણાનગરમાં રહેતા સંજય મહેશભાઈ ચૌહાણ નામનો યુવાન રાત્રિના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું.

સંજય ચૌહાણને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સંજય ચૌહાણ અને તેની પત્ની સંગીતાબેન ચૌહાણ વચ્ચે સંતાનો મુદ્દે ઝઘડો થતા સંજય ચૌહાણને માઠું લાગી આવતા ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત નવલનગરમાં રહેતી શ્રેયાબેન અશોકભાઈ નામની 14 વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કણસર પોતાના ઘરે રાત્રિના ફિનાઈલ પી લીધું હતું. જ્યારે કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલા આશાપુરાનગરમાં રહેતા મનસુખભાઈ હસુભાઈ સિદ્ધપુરા નામના 70 વર્ષના વૃદ્ધ વિશ્રાન્તિ નગરમાં હતા ત્યારે લિક્વિડ પી લીધું હતું.

સગીરા અને વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
fightgujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement