રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નવાગામ દિવેલિયાપરામાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન ઉપર છરી વડે હુમલો

04:39 PM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામ દિવેલીયાપરામાં જુની અદાવતનો ખાર રાખી પાડોશી શખ્સે છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં કુવાડવા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ નવાગામ આણંદપરમાં આવેલા દિવેલીયાપરામાં રહેતા ગણેશભાઈ રતાભાઈ મીર (ઉ.21) નામના યુવાને કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા લાધાભાઈ બચુભાઈ ડાભીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત રાત્રે તેઓ ઘરે હાજર હતાં ત્યારે જુની અદાવતનો ખાર રાખી પાડોશી શખ્સે ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. તથા નેફામાંથી છરી કાઢી છરી વડે હુમલો કરવા જતાં તેના પિતા રતાભાઈ વચ્ચે પડતાં દેકારો થતાં અન્ય લોકો દોડી આવ્યા હતાં. જેથી આરોપી છરી મુકી નાસી ગયો હતો. અને જતાં જતાં ‘બીજી વાર સામે મળ્યો તો જાનથી મારી નાખીશ.’ તેવી ધમકી આપી હતી. આ અંગે પોલીસે ગણેશભાઈની ફરિયાદ પરથી પાડોશી શખ્સ વિરૂધ્ધ મારામારી અને ધમકી આપ્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement