For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવાગામમાં પરિણીતાએ ઘર પાસે નશો કરવાની ના પાડતા ત્રણ નશેડીનો હુમલો

05:29 PM Feb 15, 2024 IST | Bhumika
નવાગામમાં પરિણીતાએ ઘર પાસે નશો કરવાની ના પાડતા ત્રણ નશેડીનો હુમલો

શહેરની ભાગોળે આવેલા નવા ગામમાં આવાસ યોજનાના ક્વાર્ટરમાં ગંજેરીઓને ઘર પાસે નશો કરવાની ના પાડતી પરિણીતા ઉપર ત્રણ નસેડીએ હુમલો કરી માર માર્યો હતો હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવાગામમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી સહેનાઝબેન સાજીદભાઈ શાહમદાર નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘર પાસે હતી ત્યારે પાડોશમાં રહેતા જાહીદ, યાકુબ અને સિકંદર સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી શહેનાઝબેન શાહમદારને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર શખ્સો ઘર પાસે ગાંજાનો નશો કરતા હતા ત્યારે શહેનાઝબેને ઘર પાસે નશો કરવાની ના પાડતા ત્રણેય ગંજેરીએ ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં નવલનગરમાં રહેતા વિજય અનિરુદ્ધભાઈ ચૌધરી નામનો 29 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે કરણ અને આર્યન સહિતના શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો જ્યારે ધોરાજીના સુપેડી ગામે રહેતો રવિ પરમાર નામનો 23 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં નવા રીંગ રોડ ઉપર આવેલા કોરાટ ચોકમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા બંને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement