નવલનગરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
04:30 PM Sep 07, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
શહેરના મવડી વિસ્તારમાં આવેલા નવલનગરમાં બે વર્ષ પહેલા પરણેલી પરિણીતાએ લોખંડની આડીમાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે માલવીયાનગર પોલીસના સ્ટાફે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી વિગત અનુસાર, નવલનગર શેરી.9માં રહ.તા સુમિતાબેન આકાશભાઇ સોલંકી (ઉ.વ.30) નામના પરિણીતાએ ગળેફાંસો ખાઇ લેતા 108ના ઇએમટી વંદનભાઇ સોલંકીએ તેમને મૃત જાહેર કર્યા હતા સુમિતાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.
સુમિતાબેનના પતિ શાકભાજી વેંચે છે તેમના લગ્નને બે વર્ષ થયા છે. સુમિતાબેનને સંતાનમાં એક દિકરી છે તેમજ માવતર વીરપુુર આવેલુ છે. સુમિતાબેનને પતિનો કે સાસરીયાનો ત્રાસ હતો કે કેમ? એ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ એસ.એ.સિંધી અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.
Next Article
Advertisement