For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીમાં શ્રમિક યુવાને મશ્કરીમાં કમ્પ્રેસરની નળીથી ગુદાના ભાગે હવા ભરી દેતા તબિયત લથડી

01:10 PM Mar 26, 2024 IST | Bhumika
ધોરાજીમાં શ્રમિક યુવાને મશ્કરીમાં કમ્પ્રેસરની નળીથી ગુદાના ભાગે હવા ભરી દેતા તબિયત લથડી
  • હોળી-ધુળેટીના પર્વમાં જુદા-જુદા સાત સ્થળે બઘડાટી: મહિલા સહિત 10ને ઇજા

ધોરાજીમાં આવેલા જુનાગઢ રોડ ઉપર કંપનીમાં કામ કરતા શ્રમિક યુવાને મશ્કરીમાં કમ્પ્રેસરની નળી વડે પોતાની જાતે જ ગુદાના ભાગે હવા ભરી દીધી હતી યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ધોરાજીમાં જુનાગઢ રોડ ઉપર આવેલી ક્રિષ્ના કોલીનેક કંપનીમાં કામ કરતા ઓમપ્રકાશ રામભવન સરોજ નામનો 28 વર્ષનો શ્રમિક યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કંપનીમાં હતો ત્યારે મશ્કરીમાં કમ્પ્રેશનની નળીથી પોતાની જાતે જ ગુદાના ભાગે હવા ભરી દીધી હતી યુવકની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં ઓમ પ્રકાશ સરોજને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે અને છેલ્લા 15 દિવસથી જ નોકરી કરવા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બનાવમાં ટંકારાના નેકનામ ગામે કારખાનામાં કામ કરતા સમાબેન મુકેશભાઈ મહિડા નામની 30 વર્ષની પરિણીતા સાથે રમેશ નામના શખ્સે ઝઘડો કરી કુહાડી વડે માર માર્યો હતો. શાપરમાં ગુરૂૂ પ્લાયવુડ કંપનીમાં સંજય જગત યાદવ (ઉ.વ.35) સાથે ઝઘડો કરી અજાણ્યા શખ્સોએ બેટ વડે હુમલો કર્યો હતો. જ્યારે નેપ્ચ્યુન સનમાઈકા નામની કંપનીમાં કામ કરતા પપ્પુ ઉમેશભાઈ કેવલ (ઉ.વ.25), બ્રિજેશ રાજધ્વનિ કેવલ (ઉ.વ.24) અને શ્રીકાંત રણજીત વર્મા (ઉ.વ.24) કંપનીમાં હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. વાંકાનેરના ઢુંવા ગામે ઉમા માક્રોન કંપનીમાં કામ કરતા મનીષ રાકસિંગ નિનામા નામના 18 વર્ષના યુવાન સાથે સુરેશ અને રાજુ નામના શખ્સે ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. ચોટીલાના કુંઢડા ગામે મહેશ ગિરધરભાઈ સાકરીયા નામના 30 વર્ષના યુવાન સાથે વિપુલ નામના શખ્સે ઝઘડો કરી બેટ વડે હુમલો કર્યો હતો જ્યારે ચોટીલાના પાજવાડી ગામે રહેતા વાલજીભાઈ જેરામભાઈ સુરેલા (ઉ.વ.45) અને ભાનુબેન વાલજીભાઈ સુરેલા (ઉ.વ.40) ઉપર અનિલ, ગોપાલ અને અલ્પેશએ ઝઘડો કરી લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. જ્યારે શાપરમાં રહેતા ધીરજ આત્માજ મહંતો નામના 24 વર્ષના યુવાન સાથે રામદેવ સહિતના શખ્સોએ ઝઘડો માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા દંપતિ સહિત તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement