ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

‘તારે દવા પીને મરી જવું હોય તો મરી જા’ પત્નીના વેણથી પતિએ ઝેરી દવા પીધી

05:02 PM Aug 08, 2025 IST | Bhumika
oplus_2097184
Advertisement

શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર આવેલા સોખડાના પાટીયા પાસે રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.. પત્નીને દવા લેવા સાથે આવવાનું કહેતા તેણે ‘તારે દવા પીને મરી જવુ હોય તો મરી જા’ તેમ કહેતા પત્નીના વેણનું માઠુ લાગી આવતા આ પગલું ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે સોખડાના પાટીયા નજીક રહેતા વિપુલ ગોપાલભાઇ ચૌહાણ (ઉવ.25)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં વિપુલ ત્રણ ભાઇ એક બહેનમાં મોટો અને ગાડી ઉતારવાનું કામ કરે છે. તેને સંતાનમાં એક પુત્ર છે. પત્ની એક મહિનાથી બાજુમા રહેતા તેના માવતરે રીસામણે હોય દરમિયાન બે દિવસથી વિપુલને તાવ આવતો હોય જેથી તેણે પત્નીને દવા લેવા સાથે આવવાનું કહેતા પત્નીએ ‘મારે નથી આવવું, તારે દવા પીને મરી જવુ હોય તો મરી જા’ તેમ કહેતા લાગી આવવાથી તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હોવાનું જાણવા મળ્યુ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement