રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

‘હું આત્મહત્યા કરું છું, તેનું કારણ મારા સાસુ-સસરા છે’ સ્યૂસાઇડ નોટ લખી જમાઇનો આપઘાત

04:29 PM Jul 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરમાં આત્મહત્યાના બનાવોમાં દિનપ્રતિદિન વધારો થાય રહ્યો છે. ત્યારે શહેરના રેલનગર વિસ્તારમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતા નવપરિણિત યુવાને ‘હું આત્મ હત્યા કરું છું તેનું કારણ મારા સાસુ-સસરા છે’ તેવી સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે. સાસુ-સસરા છોટાછેડા માટે દબાણ કરી રૂપિયા પાડવા માંગતા હોય. જેના કારણે ત્રાસ આપતા હોય જેથી કંટાળી આ પગલું ભરી લીધું હતું. આ અંગે પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળતિ વિગત મુજબ રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતા અને આજીડેમ ચોકડી પાસે રામેશ્ર્વર પાર્કમાં આસ્થા ટ્રેઇલર નામે દરજી કામની દુકાન ધરાવતા જીગર અશોકભાઇ સોંલકી (ઉ.વ.31)નામના દરજી યુવાને આજે સવારે પોતાના ઘરે પંખમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસને ઘટના સ્થળેથી મૃતક જીગરે આપઘાત કરતા પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે સાસુ-સસરાના ત્રાસથી આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક જીગર બે ભાઇ ત્રણ બહેનમાં વચેટ હતો તેના લગ્ન ત્રણ મહિના પૂર્વે પત્ની સોનલ સાથે થયા હતા. સાસુ-સસરા પરાણે છૂટાછેડા કરવા માટે દબાણ કરતા હોય અને રૂપિયા પડાવી છુટુ કરવાનો કિંમીયો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકે સ્યુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ તેના સાસુ-સસરા મારી નાખવાની અને પોલીસમાં કેસ કરવાની ધમકી આપી અવાર-નવાર હેરાન કરતા હોય. જેથી કંટાળી તેણે આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. આ અંગે પ્ર.નગર પોલીસે સ્યુસાઇડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement