ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મેળામાંથી પાથરણાવાળાઓને હાંકી કઢાતા ભારે બબાલ

03:45 PM Aug 19, 2025 IST | Bhumika
Advertisement

ગઇકાલે મેળો પૂર્ણ થતા આજે મંજૂરી વગર પાથરાણાવાળાઓ ગ્રાઉન્ડમાં ઘૂસી જતા મનપાની કડક કાર્યવાહી સામે રોષ

Advertisement

રેસકોર્ષમાં યોજાયેલ પાંચ દિવસીય લોક મેળો ગઇકાલે રાત્રીના પૂર્ણ થઇ ગયેલ છે. અને આજે તમામ રાઇડ્સ અને સ્ટોલ વાળાઓ તેમનો સામાન ભરી સ્થળ ખાલી કરવા લાગી ગયા છે. પરંતુ દરવર્ષની માફક મેળો પૂર્ણ થયા બાદ રમકડા સહિતનો સામાન સસ્તા મળતો હોવાની આજ સવારથી લોકો રેસકોર્ષ ખાતે ઉમટી પડયા હતા. જેનો લાભ મેળાની બહાર બેસતા પાથરણાવાળાઓએ પણ ઉઠાવવાનો શરૂ કરતા નિયમ મુજબ મનપાના એસ્ટેટ વિભાગે પાથરણાવાળાઓ હાંકી કાઢવાની કાર્યવાહી શરૂ કરતા મોટી બબાલ થઇ હોવાનુ જાણવા મળેલ છે.

રેસકોર્ષ ખાતેનો મેળો ગઇકાલે પૂર્ણ થયા બાદ આજે રેસકોર્ષ મેદાન ખાલી થવા લાગ્યુ હતુ મોટી રાઇડ્સ ની જગ્યા ખાલી થતા સમય લાગે પરંતુ પાંચ દિવસ માટે સ્ટોલ સહિતના સંચાલકોને જગ્યા ફાળવવા આવી હોય તે ખાલી કરવાની સૂચના આપવામાં આવેલ તેવી જ રીતે મેળાની બહાર ફૂટપાથ સહિતના સ્થળે આ વખતે નાના ધંધાર્થીઓ એટલે કે પાથરણા વાળાઓેને પણ જગ્યા ફાળવવામાં આવી છે. જેનુ સંચાલન મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતુ હતુ મેળો પૂર્ણ થવા છતા છેલ્લા દિવસે ખરીદી કરવા આવેલા ગ્રાહકોનો લાભ લેવા આવેલા પાથરણાવાળાઓએ જગ્યા ખાલી ન કરતા આજ સવારથી મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિકમાં અડચણ રૂપ અને ફૂટપાથ ઉપર બેસેલા પાથરણાવાળાઓને હટાવવાનુ શરૂ કર્યુ તેવી જ રીતે અમૂક પાથરણાવાળાઓ રેસકોર્ષ ગ્રાઉન્ડમા બેસી ગયેલા હોય તેઓએ ને દુર કરવાની કડક કાર્યવાહી હાથ ધરાતા એસ્ટેટ વિભાગના કર્મચારીઓ સાથે પાથરણાવાળાઓએ માથાકૂટ કરતા અંતે વિજીલન્સ વિભાગ દ્વારા પાથરણાવાળાઓને હાંકી કઢાતા નાના ધંધાર્થીઓમાં રોષ વ્યાપી ગયો હતો.

રેસકોર્ષ ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડ બહાર બેસતા પાથરણાવાળાઓને હટાવતી વખતે બબાલ થયાની ઘટના અંગે એસ્ટેટ વિભાગે જણાવેલ કે પાંચ દિવસના મેળા દરમિયાન રોડ રસ્તાઓ વન વે જાહેર કરવામાં આવેલ તેમ પાર્કિંગ સહિતની વ્યવસ્થા ગોઢવવામાં આવી હતી પરંતુ મેળો પૂર્ણ થતા આ તમામ પ્રતિબંધો ઉઠી ગયેલ હોય. રેસકોર્ષ રીંગ રોડ પર વાહનનો અવર જવર શરૂ થતા પાથરણાવાળાના દબાણો દુર કરવા જરૂરી બન્યા હતા. સવારમાં આ લોકોેને સૂચના આપવામાં આવેલ છતા દબાણો દુર ન થતા કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે.

ધરમ કરતા ધાડ પડી: એસ્ટેટ વિભાગ

મેળાના મેદાનમાં આજે સવારે મનપાના એસ્ટેટ વિભાગ સાથે પાથરણાવાળાઓએ માથાકૂટ કર્યાનો બનાવ સામે આવતા તંત્રએ જણાવેલ કે, કલેક્ટર વિભાગ દ્વારા મેળામાં ધંધો કરનારા સંચાલકોને નિયમ ફી વસૂલી પાંચ દિવસ માટે જગ્યા ફાળવામાં આવી હતી. જેની સામે પાથરણાવાળા નાના ધંધાર્થીઓને અન્યાય થતો હોવાનુ ધ્યાને આવતા મનપા દ્વારા મેળાની બહાર નાના ધંધાર્થીઓને પાંચ દિવસ જગ્યા ફાળવવામાં આવેલ અને હવે મેળો પૂર્ણ થવા છતા આ લોકોએ સ્થળ ખાલી ન કરતા તેમને હટાવવા જતા તેઓએ માથાકૂટ કરી હતી. જે ગેરવ્યાજબી છે. આથી આતો ધરમ કરતા ધાડ પડી જેવો ઘાટ ઘડાયો છે.

Tags :
gujaratgujarat newslokmelarajkotrajkot news
Advertisement
Next Article
Advertisement