For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોરોનાને આમંત્રણ આપતા શરદી-ઉધરસના દર્દીથી દવાખાના ઉભરાયા

04:56 PM Dec 26, 2023 IST | Bhumika
કોરોનાને આમંત્રણ આપતા શરદી ઉધરસના દર્દીથી દવાખાના ઉભરાયા

મનપાના આરોગ્ય વિભાગની ડોર ટુ ડોર ચકાસણી દરમિયાન ડેંગ્યુ-1, મેલેરિયા-1, ચિકનગુનિયાના 3 કેસ મળ્યા : મચ્છર ઉત્પતિ સબબ 281 આસામીઓને ફટકારાઈ નોટિસ

Advertisement

શહેરમાં ઠંડીનું જોર વધતા શરદી ઉધરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગની ડોર ટુ ડોર ચેકીંગ કામગીરી દરમિયાન કોરોનાને આમંત્રણ આપે તેવા શરદી ઉધરસના નવા 1541 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયા 1, ડેંગ્યુ 1, ચિકનગુનિયા 3, સામાન્ય તાવના 113 અને ઝાડા-ઉલ્ટીના 60 નવા કેસ નોંધાતા મચ્છરજન્ય રોગચાળા ચકાસણીમાં 281 આસામીઓને મચ્છર ઉત્પતિ સબબ નોટિસ ફટકારવામાં આવી હતી.

ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 774 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂકલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્લેરીક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 278 અને કોર્મશીયલ 3 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

Advertisement

ડેંગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 101010નું સુત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનીટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્યુની, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

રોગચાળાથી બચવા આટલું કરો

પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.
પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.
બિનજરૂૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.
ડેન્યુઓનો મચ્છમર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાન પુરૂ શરીર ઢંકાય તેવા ક5ડાં 5હેરવા.

Advertisement
Tags :
Advertisement
Advertisement