For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તાવ-શરદી-ઉધરસના દર્દીઓથી દવાખાનાઓ ફુલ, 1787 કેસ

03:59 PM Mar 04, 2024 IST | admin
તાવ શરદી ઉધરસના દર્દીઓથી દવાખાનાઓ ફુલ  1787 કેસ
  • આરોગ્ય વિભાગ દ્વારા 1066 પ્રિમાઈસીસમાં ચકાસણી, મચ્છર ઉત્પત્તિ સબબ 571 આસામીઓને નોટિસ

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી હાથ ધરતા મિશ્રઋતુના કારણે તાવ-શરદી ઉધરસના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. સાપ્તાહિક રિપોર્ટમાં ચિકનગુનિયા 1, શરદી ઉધરસ 1381, સામાન્ય તાવ 182, ઝાડા-ઉલ્ટીના 224 અને ટાયફોડનો એક કેસ નોંધાતા મચ્છર ઉત્પતિ સબબ અને ગંદકી સબબ 571 આસામીઓને નોટીસ ફટકારી હતી.આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.26/02/24 થી તા.03/03/24 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 12,386 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 716 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

Advertisement

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 1066 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 369 અને કોર્મશીયલ 202 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10x10x10નું સુત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement