હાર્ટએટેક : વધુ બે માનવ જિંંદગી કાળના ખપ્પરમાં હોમાઇ
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાથી વધી રહેલા મૃત્યુ આંકથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હાર્ટએટેકના કારણે અનેક માનવ જીંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ હોવાની ઘટનાઓ દિનબદિન વધી રહી છે. ત્યારે કેશોદના કેવદરા ગામે વધુ એક વૃધ્ધાનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કેશોદ તાલુકાના કેવદરા ગામે રહેતા રૂૂડીબેન પ્રેમજીભાઈ ગોરફાડ નામના 70 વર્ષના વૃદ્ધા બે દિવસ પૂર્વે પોતાના ઘરે હતા ત્યારે સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં તેમને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા વૃદ્ધાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ કેશોદ પોલીસને જાણ કરતાં કેશોદ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી મૃતક વૃદ્ધાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક રૂૂડીબેન ગોરફાડને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે કેશોદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.અન્ય બીજા બનાવમાંજામનગર રોડ પર આઇઓસી પ્લાંટમાં મજુરી કરતી પરિણીતાનું હાર્ટ ફેઇલ થતાં તેમનું મોત નીપજ્યું હતું.
બનાવની વિગતો અનુસાર, જામનગર રોડ પર આઇઓસી પ્લાંટમાં નોકરી કરતા અમરાવતી બેન ઉમેશભાઇ વિશ્ર્વકર્મા નામના 20 વર્ષનાં પરિણીતાને આજે સવારે હાર્ટએટેક આપતાં તેમને હોસ્પિટલે ખસેડાયા હતા જયાં તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ મુળ જબલપુરના વતની હોવાનું જાણવા મળે છે. મહિલાની મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.