રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાર્ટએટેક; નવોઢા સહિત બેના શ્વાસ થંભી ગયા

04:21 PM Jul 22, 2024 IST | admin
Advertisement

ભક્તિનગર હાઉસિંગ સોસાયટીમાં પરિણીતા અને વીર સાવરકરનગરમાં આધેડનું હૃદયરોગના હુમલાથી મોત

Advertisement

શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ બે વ્યક્તિના મોત નીપજ્યા છે જેમાં ભક્તિનગર હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને પાંચ માસ પૂર્વે લગ્ન ગ્રંથિએ જોડાયેલી નવોઢા અને રેલનગરમાં આવેલી વીર સાવરકરનગરમાં આધેડનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભક્તિનગર હાઉસિંગ સોસાયટીમાં રહેતા ઈશિતાબેન આકાશભાઈ દવે નામના 35 વર્ષીય મહિલા ગઇકાલ વહેલી સવારે પોતાના ઘરે હતા. ત્યારે લઘુશંકા કરવા માટે બાથરૂૂમમાં ગયા હતા.અને તે સમયે અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા.તેઓ નીચે પટકાયા હોવાનો અવાજ આવતા પરિવારજાનો જાગ્યા હતા. અને તેઓને 108 મારફત તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડયા હતા. અહી ફરજ પરના તબીબોએ તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા.અને હાર્ટ એટેક આવ્યાનું પ્રાથમિક તારણ આપ્યું હતું.આ મામલે ભક્તિનગર પોલીસના સ્ટાફ દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું હતું.કે, તેઓના આકાશભાઈ સાથે 5 માસ પૂર્વે જ લગ્ન થતાં હતા.હાલ મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પી.એમ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રેલનગર વિસ્તારમાં આવેલી વીર સાવરકરનગર ટાઉનશિપમાં રહેતા નીતિનભાઈ રામશંકરભાઈ રાજ્યગુરુ નામના 54 વર્ષના આધેડ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી પ્રાથમિક પૂછપરછમાં નીતિનભાઈ રાજ્યગુરુ ત્રણ ભાઈ ત્રણ બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Tags :
gujaratgujarat newsheartattactrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement