હળવદમાં બજરંગદળ અને પોલીસે કતલખાને લઈ જવાતા 9 પશુઓને બચાવ્યા
11:31 AM Dec 18, 2023 IST
|
Sejal barot
Advertisement
મોરબી બાજુથી ગેરકાયદેસર રીતે પશુ ભરીને અમદાવાદ બાજુ કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા હાઈવે પર સરા ચોકડીએ વોચ ગોઠવી હતી. ત્યારે તેમને મળેલી બાતમી અનુસાર રાતના 1 વાગ્યાની આસપાસ ગાડી નીકળતા તેમને પોલીસને સાથે રાખી ગાડીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં તેમને પાસ પરમીટ વગર ગાડીમાં નવ ભેસ મળી આવી હતી. જે બાદ હળવદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આરોપી: ટ્રક ડ્રાઇવર : કાસમભાઇ ઇમરાનભાઈ સુમરા ક્લીનર નવઘણભાઈ સીવાભાઈ નંદેસરિયા આ બંને આરોપીઓની અટક કરી તેના વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હળવદ પોલીસ હાથ ધરી છે.
Advertisement
Next Article
Advertisement