રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મ.ભો.યો.માં પાંચ દિવસ લીલા શાકભાજી પીરસાશે

12:41 PM Aug 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પોષણ યોજના અંતર્ગત મેનુના અમલીકરણમાં મુશ્કેલીઓ પડતી હોવાથી જરૂરી સુધારા કરવામાં આવ્યા

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાળકોને હવે મધ્યાહન ભોજનમાં રોજ શાકભાજી ખાવા મળશે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શાકભાજીના વધુ ઉપયોગ પર ભાર મૂકાયો હોવાનું જાણવા મળે છે. અગાઉના મેનુમાં સપ્તાહમાં બે વખત વિદ્યાર્થીઓને શાક મળતું હતું, પરંતુ નવા મેનુમાં સપ્તાહમાં પાંચ દિવસ શાકભાજી પીરસવામાં આવશે. અગાઉ દાળ ઢોકળી અને વેજ પુલાવ સાથે શાક અપાતું ન હતું, પરંતુ નવા મેનુમાં આ ખાદ્યચીજો સાથે પણ બાળકોને શાક પણ આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પી.એમ. પોષણ(મધ્યાહન ભોજન) યોજના હેઠળ રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બપોરનું ગરમ ભોજન આપવામાં આવે છે. શિક્ષણ વિભાગના 2020ના ઠરાવથી પી.એમ. પોષણ યોજનામાં બાળકોને આપવામાં આવતા ભોજનનું મેનુ નક્કી કરવામાં આવેલું છે. શિક્ષણ વિભાગના 2024ના ઠરાવ અનુસાર, પી.એમ. પોષણ યોજના અંતર્ગત અઠવાડિયામાં એક દિવસ બાળકોને સુખડી આપવામાં આવે છે. રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને 26 ઓક્ટોબર, 2023ના રોજ રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમ મોનિટરીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પી.એમ. પોષણ યોજના અંતર્ગત મેનુના અમલીકરણમાં પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈ જરૂૂરી સુધારા-વધારા કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આમ, બેઠકમાં થયેલા સૂચનને પગલે પીએમ પોષણ યોજનાના મેનુમાં બદલાવ કરી સરકાર તરફથી નિયત થયેલા અનાજ, કઠોળ, તેલ અને લીલા શાકભાજીના જથ્થાના પ્રમાણ તથા ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર નિયત થયેલી કેલરીનું પ્રમાણ જાળવી સમગ્ર રાજ્યમાં એક સાથે અમલમાં મૂકી શકાય તે મુજબનું વાનગી મેનુ નિયત કરવા ટેકનિકલ એડવાઈઝરી કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે મુજબ કમિશનર પી.એમ. પોષણ યોજનાની કચેરી દ્વારા પી.એમ.પોષણ યોજનાના મેનુમાં ફેરફાર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી.

દરખાસ્તના પગલે સરકાર દ્વારા તેની પર વિચારણા હાથ ધરી હતી અને ત્યારબાદ પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોને આપવામાં આવતા ભોજન માટે નવો મેનું નક્કી કરવામાં આવ્યો છે. જેનો અમલીકરણ 1 સપ્ટેમ્બર, 2024થી કરવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળે છે. નવા મેનું પ્રમાણે હવે મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.

નવું મેનુ
સોમવાર વેજિટેબલ ખીચડી / ખારીભાત-શાકભાજી વેજ પુલાવ- દેશી ચણાનું શાક, મંગળવાર ફાડા લાપસી- શાક / મુઠિયા- શાક દાળ ઢોકળી - લીલુ શાક, બુધવાર વેજિટેબલ પુલાવ ખીચડી શાક / દાળ-ભાત- શાક, ગુરૂવાર દાળ-ઢોકળી દાળ ઢોકળી - લીલુ શાક- સુખડી, શુક્રવાર દાળ- ભાત મુઠિયા- ચણાનું શાક / થેપલા અને આખા ચણાનું શાક, શનિવાર વેજિટેબલ પુલાવ વેજ ખીચડી / ખારી ભાત- કઠોળ દાળ / વેજ પુલાવ

Tags :
Green vegetablesgujaratgujarat newsSchool
Advertisement
Next Article
Advertisement