ગુજરાત STના 40 હજાર કર્મચારીઓ માટે સારા સમાચાર: સરકારે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો કર્યો વધારો
06:30 PM Aug 26, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
રાજ્ય સરકાર દ્વારા STના 40 હજાર કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. હવેથી કર્મચારીઓને 55 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.
આ વધારાની જાહેરાત સાથે જ મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી કર્મચારીઓમાં ખુશીની લાગણી વ્યાપી છે. સરકારના આ હકારાત્મક નિર્ણયથી એસ.ટી. નિગમના 30,000થી વધુ કર્મચારીઓને કુલ રૂ. 30 કરોડથી વધુનો લાભ મળશે.
સરકારના આ પગલાથી કર્મચારીઓને ખુશીની લાગણી જોવા મળી છે.આ અંગેની વિગતવાર માહિતી અને અમલીકરણની પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
Next Article
Advertisement