રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકા નજીકના બરડિયા ચંદ્રભાગા ગોલાઈ પાસે કારનો ગમખ્વાર અકસ્માત

11:50 AM Aug 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પૂરઝડપે આવી રહેલી કારે પાંચ ગૌવંશને હડફેટે લેતા તમામના મોત -

        દ્વારકા પાસેના બરડિયા-ચંદ્રભાગા ગોલાઈ પાસે આજરોજ એક કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા આ માર્ગ પર બેઠેલા પાંચ ગૌવંશને અડફેટે લેતા તમામ પાંચ ગૌવંશના મોત નિપજ્યા હતા.     આ કરુણ બનાવની વિગત મુજબ દ્વારકા- ખંભાળિયા હાઈ-વે પર દ્વારકાથી આશરે સાત કીલો મીટર દુર ચંદ્રભાગાની ગોલાઈ પાસેના માર્ગ પર પાંચ જેટલા ગાય - બળદ (ગૌવંશ) બેઠેલા હોય, ત્યાંથી પસાર થતી એક કારના ચાલકને બેઠેલા આ ગૌવંશ ધ્યાને આવ્યા ન હતા. જેથી આ કાર ગૌવંશ સાથે ધડાકાભેર અથડાઇને રસ્તાની બાજુમાં આવેલા પાણીના ખાડામાં ડુબી ગઈ હતી.    આ મોટરકારમાં સવાર તમામ લોકોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. મોટરની અંદર બેઠેલા મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અકસ્માત એટલો તે ગંભીર હતો કે માર્ગ પર બેઠેલા પાંચેય ગૌવંશનું મૃત્યુ થયું હતું. ગૌવંશના મૃતદેહોને સુરભી ગૌશાળા ખાતે લઇ જવાયા હતા, અને ત્યાં પાંચેય ગૌવંશની અંતિમવિધિ ગૌ-ભક્તો દ્વારા કરવામાં આવી હતી.  પૂર ઝડપે આવી રહેલ આ ક્રેટા કારે પાંચ ગૌવંશને મોત ઘાટ ઉતારી દેતાં ગૌસેવકોમાં દુઃખની લાગણી જોવા મળી હતી.
Tags :
deathDwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement