For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિવ્યાંગ, થેલેસેમિયા ગ્રસ્ત અને સિનિયર સિટિઝનોને સિટી બસમાં ફ્રી મુસાફરી

04:30 PM Jul 15, 2024 IST | Bhumika
દિવ્યાંગ  થેલેસેમિયા ગ્રસ્ત અને સિનિયર સિટિઝનોને સિટી બસમાં ફ્રી મુસાફરી
Advertisement

મહાનગરપાલિકાના સ્ટે.ચેરમેન જયમિનભાઇ ઠાકરના જણાવ્યા મુજબ હવેથી વરિષ્ઠ નાગરિકો(સિનિયર સિટીઝન), દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીક મુસાફરોને શહેરી બસ સર્વિસ અંતગર્ત મફત મુસાફરી માટે પાસ ઇસ્યુ કરવામાં આવશે. પરંતુ તમામ કેટેગરીમાં ડોક્યુમેન્ટ અને નિયમોના આધારે લાભ મળવાપાત્ર છે.રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરી બસ સર્વિસ તથા બી.આર.ટી.એસ. બસ સર્વિસનુ સંચાલન કરીને રાજકોટ શહેરના લાખો નાગરિકોને જાહેર પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે.

ચેરમેન, સ્ટે. કમિટી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.19/02/2024ના રોજ નાણાંકીય વર્ષ 2024-25ના અંદાજપત્ર અંતર્ગત વરિષ્ઠ નાગરિકો(સિનિયર સિટીઝન), દિવ્યાંગો થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્ત નાગરીકોને સીટી બસ સર્વિસ તથા બી.આર.ટી.એસ. બસ સર્વિસ અંતર્ગત ફ્રી મુસાફરી યોજના અંગેની જાહેરાત કરવામાં આવેલ જેનુ ત્વરિત અમલીકરણ કરાવવા સંબંધિત અધિકારીઓને રિવ્યુ મિટીંગ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા જરૂૂરી સુચનાઓ આપવામા આવેલ. જેના અનુસંધાને રાજકોટ રાજપથ લિ. દ્વારા બી.આર.ટી.એસ. બસ સર્વિસ તથા શહેરી બસ સર્વિસમાં વરિષ્ઠ નાગરિકો(સિનિયર સિટીઝન), દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીક મુસાફરોને શહેરી બસ સર્વિસ અંતગર્ત મફત મુસાફરી કરવા જરૂૂરી નિયમાનુસારની પ્રક્રિયા પુર્ણ કરવામા આવેલ છે, જે અન્વયે વિનામુલ્યે મુસાફરી કરવા માટેની અરજી પ્રક્રિયા નીચે દર્શાવ્યા મુજબની વિગતે કરી શકાશે:

Advertisement

આ યોજનાનો લાભ મેળવવા ફ્રી મુસાફરી પાસ માટેના અરજીપત્રક આજરોજ તા.15/07/2024 સોમવારથી જ રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર તેમજ વોર્ડ ઓફિસેથી મળી શકશે. જરૂૂરી આધાર પુરાવા સાથે સંપૂર્ણ વિગતો ભરેલું કેટેગરીવાઇઝ ફોર્મ, સવારે 10.30થી બપોરે 3.30 (2 થી 2.30 રિસેષ) સુધીમાં (1)સિટી સિવિક સેન્ટર, સેન્ટ્રલ ઝોન (2)સિટી સિવિક સેન્ટર, ઇસ્ટ ઝોન (3)સિટી સિવિક સેન્ટર, વેસ્ટ ઝોન (4)સિટી સિવિક સેન્ટર, અમીનમાર્ગ (5)સિટી સિવિક સેન્ટર, કૃષ્ણનગર (6)સિટી સિવિક સેન્ટર, દેવપરા શાક માર્કેટ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસે સ્વીકારવામાં આવશે.
થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીક, તેમજ દિવ્યાંગોની 21 કેટેગરીમાં સમાવિષ્ટ મુસાફરોએ બસમાં ફ્રી મુસાફરીના પાસ મેળવવા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ(એક ફોટો ફોર્મમાં ચોંટાડવો અને એક ફોટો સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ (પાન કાર્ડ/ઈલેકશન કાર્ડ/આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસન્સ), એડ્રેસ પ્રૂફની નકલ (રેશન કાર્ડ/ગેસ કનેક્શન બીલ/ ઇલેકટ્રીસીટી બીલ) તેમજ દિવ્યાંગો માટે સિવિલ સર્જનનો દાખલો સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજુ કરવાના રહેશે.

60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિકોએ ફ્રી મુસાફરીના પાસ મેળવવા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ(એક ફોર્મમાં ચોંટાડવો અને એક સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ(પાનકાર્ડ/ઈલેકશન કાર્ડ/આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસન્સ) એડ્રેસ પ્રૂફની નકલ(રેશન કાર્ડ/ ગેસ કનેક્શન બીલ/ઇલેકટ્રીક બીલ) સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજુ કરવાના રહેશે.

રાજકોટ રાજપથ લિ. દ્વારા નિયત કરવામાં આવેલ દિવ્યાંગ વ્યક્તિઓની કેટેગરીમાં અંધત્વ, આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય, સાંભળવાની ક્ષતિ, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ, ઓછી દ્રષ્ટી, ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરતા, બૌધ્ધિક અસમર્થતા, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા, રકતપિત સાજા થયેલા, દીર્ધકાલીન અનેમિયા, એસીડના હુમલાનો ભોગ બનેલા, હલન ચલન સાથેની અશકતતા, સેરેબલપાલ્સી, વામનતા, માનસિક બિમાર, બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ, ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, વાણી અને ભાષાની અશકતતા, ચેતાતંત્ર- ન્યુરોની વિકાસ લક્ષી સ્થિતિમાં ક્ષતિ, બહેરા અંધત્વ સહીત અનેક અપંગતા જેવી જુદી જુદી 21 કેટેગરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

ફ્રી પાસ માટેના નિયમો
પાસ કચેરીનાં કામનાં દિવસોમાં ઇસ્યુ કરવામાં આવશે., પાસ ધરાવનારે મુસાફરી દરમ્યાન ઓરીજીનલ પાસ સાથે રાખવાનો રહેશે. પાસની ઝેરોક્ષ કે ડુપ્લીકેટ પાસ માન્ય રહેશે નહીં. અન્યથા નિયમાનુસારનો દંડ વસુલ કરવામાં આવશે., કોઈપણ સંજોગોમાં પાસ ધરાવનાર વ્યક્તિ પોતાનો પાસ અન્ય કોઈ વ્યક્તિને મુસાફરી માટે આપી શકશે નહીં, કે તબદીલ કરી શકશે નહીં.

કોઇ વ્યક્તિના પાસનો ઉપયોગ અન્ય કોઇપણ વ્યક્તિ કરી શકશે નહીં, આમ જણાયેથી સ્થળ પર જ પાસ જપ્ત કરી નિયમાનુસારનો દંડ વસુલવામાં આવશે., પાસ ખોવાઈ જાય,ખરાબ થાય, ધોવાય જાય કે ફાટી જાય, તેવા કિસ્સામાં અરજદારે નવેસરથી અરજી પ્રક્રિયા કર્યા બાદ જ અરજદારને નવો પાસ કાઢી આપવામાં આવશે., મુસાફરી દરમ્યાન સંસ્થાના ફરજ પરનાં અધિકારીશ્રી કે ચેકીંગ સ્ટાફ દ્વારા પાસ ચકાસણી માટે માંગવામાં આવે ત્યારે પાસ બતાવવાનો રહેશે. મુસાફરી સમયે જો દિવ્યાંગ પાસ નહિ હોય તો મુસાફરીનુ પૂરે પૂરું ભાડું દંડ સાથે વસુલવામાં આવશે., રાજકોટ શહેરમાં વસતા દિવ્યાંગો/સીનીયર સીટીઝનો ને જ ફ્રી બસપાસની સગવડ આપવામાં આવશે., દિવ્યાંગ પાસ મેળવવા માટે માન્ય સરકારી હોસ્પિટલના સિવિલ સર્જનનો અંધજનને 100% તથા અપંગ અને બહેરા-મૂંગા દિવ્યાંગોને મીનીમમ 40%નુ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે., મુસાફરી દરમ્યાન અન્ય મુસાફરોને અડચણરૂૂપ થાય તેવું લગેજ લઈને બસમાં જઈ શકાશે નહીં. લગેજ સાથે હશે તો નિયમ મુજબ લગેજની ટીકીટ લેવાની રહેશે., અનિવાર્ય કે આકસ્મિક સંજોગોને લીધે બસ કેન્સલ થશે અથવા સમયમાં ફેરફાર થયે તે પરત્વે રૂૂટમાં ફેરબદલ કરવાનો અધિકાર રાજકોટ રાજપથ લિ.નો રહેશે., રાજકોટ રાજપથ લિ. દ્વારા પાસના નિયમમાં વખતોવખત કરવામાં આવતા ફેરફાર પાસ ધારકને બંધનકર્તા રહેશે., અરજીપત્રક રજુ કર્યાના 30 દિવસ બાદ અરજદારે તેમનો પાસ ત્રિકોણ બાગ કંટ્રોલ રૂૂમ ખાતેથી ઓરિજનલ પહોંચ રજુ કરી (સમય સવારે 10થી સાંજે 6 દરમ્યાન) મેળવી લેવાનો રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement