ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુજરાત કેડરના ચાર સિનિયર IAS અધિકારીઓને દિલ્હીમાં પોસ્ટિંગ

01:23 PM May 29, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ગુજરાત કેડરના ચાર સિનિયર IAS અધિકારીઓને કેન્દ્રીય સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ માટે પસંદ કરવામાં આવ્યા છે. સંયુક્ત સચિવ પદ માટે દિલ્હીમાં પોસ્ટિંગ કરવામાં આવેલા આ અધિકારીઓએ પહેલેથીજ ડેપ્યુટેશન માટે અરજી કરી હતી અને હવે તેઓ વિવિધ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે.
કુલ 7 અધિકારીઓમાંથી 4ની પસંદગી થઈ છે, જેમણે હવે દિલ્હી ખાતે નવી નિમણૂક મેળવી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારે જાહેર કરેલા 41 IAS અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ લિસ્ટમાં સમાવેશ પામ્યો છે.
મનીષા ચંદ્રા (IAS GJ:2004) - સંરક્ષણ ઉત્પાદન વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત. તેઓ પાંચ વર્ષની મુદત માટે આ પદ સંભાળશે અથવા નવા આદેશો મળ્યા સુધી જવાબદારી પર રહેશે. જયારે સાંઇ છાકછુક (IAS GJ:2008) - ગૃહ મંત્રાલય હેઠળ NHRC સાથે સંકળાયેલ પદ પર સંયુક્ત સચિવ તરીકે નિયુક્તિ. તેમનો કાર્યકાળ પણ પાંચ વર્ષનો રહેશે.

Advertisement

કૃષ્ણકુમાર નિરાલા (IAS GJ:2005) - માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે મહત્વપૂર્ણ પદ મળ્યું છે. અને સુપ્રીત સિંહ ગુલાટી (IAS GJ:1999) - આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે નિયુક્તિ મળી છે.

દિલ્હીમાં આ નિયુક્તિથી જોડાયેલી એક રસપ્રદ બાબત એ છે કે મનીષા ચંદ્રા અને કૃષ્ણકુમાર નિરાલા, તેમજ સાંઇ છાકછુક અને સુપ્રીત ગુલાટી - બંને દંપતિ છે. એટલે કે, બંને પતિ-પત્નીઓને એકસાથે દિલ્હી પોસ્ટિંગ મળ્યું છે, જે તેમના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન માટે મહત્વપૂર્ણ સુવિધા બની રહેશે. હવે આ અધિકારીઓની જગ્યાઓ રાજ્યમાં ખાલી પડતા, ગુજરાત સરકાર દ્વારા નવું ચાર્જ સોંપવાની પ્રક્રિયા શરૂૂ થશે.

Tags :
delhidelhi newsFour senior IAS officersgujaratgujarat newsIAS officers
Advertisement
Advertisement