રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 136 મી.ને પાર, વડોદરા-ભરૂચ-નર્મદાના 42 ગામોને કરાયા એલર્ટ

12:21 PM Sep 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ડેમના 15 દરવાજા 2.50 મીટર ખોલાતા હાલ 3,17,014 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ રહેતા સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટરને પાર થઈ ગઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હોવાથી સલામતિના ભાગરૂપે ડેમના 15 દરવાજા 2.50 મીટરખોલાતા નદીમાં 3,17,014 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હોય નદી બે કાંઠે વહેતી થતાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 72 ગામોને એલર્ટ કરાયા છે.
ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતા પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 136 મીટરને પાર થઈ છે. ઉપરવાસમાંથી 3,47,891 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા નદીમાં કુલ 3,17,014 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

શુક્રવારે (13મી સપ્ટેમ્બર) સાંજે ડેમની સપાટી 136.03 મીટરે પહોંચી હતી. ઉપરવાસથી આવક ચાલુ રહેતા લેવલ જાળવી રાખવા માટે ડેમના 15 દરવાજા 2.50 મીટર સુધી ખોલી નાખવામાં આવ્યા છે. હાલ તંત્ર દ્વારા વડોદરા, ભરૂૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી બે કાંઠે ભરપૂર વહી રહી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 136 મીટરને પાર થઈ જતાં ડેમના 15 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવરમાં 90 ટકા જળ સંગ્રહ થઈ ચૂક્યો છે. આથી વધારાનું પાણી છોડવામાં આવતા નર્મદા નદી બેકાંઠે વહેવા લાગી છે. જેના લીધે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામો તેમજ નદી કાંઠાના નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી નદીના પટ્ટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. તેમજ નદીકાંઠાના વિસ્તારોમાં રેસ્ક્યુ માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsNarmada Damvillages
Advertisement
Next Article
Advertisement