રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં કારખાનેદાર સહિત પાંચના હાર્ટએટેકથી મોત

06:32 PM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાથી વધી રહેલા મૃત્યુ આંકથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જ્યારે હાર્ટએટેકના કારણે અનેક માનવ જીંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ હોવાની ઘટનાઓ દિનબદિન વધી રહી છે. ત્યારે રાજકોટમાં કારખાનેદાર સહિત પાંચ વ્યક્તિના હદયરોગના હુમલાના કારણે ધબકારા ચુકી જતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રણછોડનગરમાં રહેતા અને ઈમીટેશનનું કારખાનું ધરાવતા વિપુલ કેશુભાઈ રામાણી નામના 43 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે સવારના નવેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા વિપુલભાઈ રામાણીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વિપુલભાઈ રામાણીનું હૃદય રોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતાં પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિપુલભાઈ રામાણી બે ભાઈમાં નાના હતા અને ઇમિટેશનનું કારખાનું ધરાવતા હતા વિપુલભાઈ રામાણીને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે

બીજા બનાવમાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે લાલપરીમાં રહેતા શૈલેષભાઈ દિનેશભાઈ ગોવાણી ઉ.વ.37 પોતાના ઘરે હતો ત્યારે સાંજના 5:30 વાગ્યેના આસપાસ હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ત્રણ ભાઈ બે બહેનમાં નાનો હતો અને તેને સંતાનામાં એક પુત્ર છે.

ત્રીજા બનાવમાં માર્કેટીંગ યાર્ડ પાછળ મન્છાનગરમાં રહેતા મેરૂૂભાઈ રાજાભાઈ લુણી ઉ.વ.41 પોતાના ઘરે હતો ત્યારે મધરાત્રે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મેરૂભા લુણીનું હદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક મેરુભાઈ લુણી ત્રણ ભાઈ બે બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક પુત્રી છે.

ચોથા બનાવમાં રાજકોટમાં રૈયાટેલીફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા રમેશભાઈ રણછોડભાઈ મહેતા ઉ.વ.53 પોતાના ઘરે હતાં ત્યારે રાત્રીના 11 વાગ્યાના અરસામાં તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમને સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

પાંચમા બનાવમાં ભીસ્તીવાડ વિસ્તારમાં રહેતા રુકસાનાબેન શાજીદભાઈ જુણાચ નામની 40 વર્ષની પરિણીતા પોતાના ઘરે સવારે સુતા હતા ત્યારે નિંદ્રાધીન પરિણીતાને હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા અને રૂકશાનાબેન જુણાચ નીંદરમાંથી નહીં ઉઠતા તાત્કાલિકમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો હતો પ્રાથમિક પૂછપરછમાં મૃતક રુકસાનાબેન જુણાચને સંતાનમાં એક પુત્ર છે અને રુકસાનાબેન જુણાચનું હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement