ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉનાના સૈયદ રાજપરાની માછીમારી બોટ દરિયામાં ડૂબી, 4 ખલાસી લાપતા

11:32 AM Aug 21, 2025 IST | Bhumika
Advertisement

ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામની એક માછીમારી બોટ મધદરિયે પલટી ગઈ હતી. મુરલીધર નામની આ બોટ ગઈકાલે સાંજે મધદરિયે પલટી જતાં ગંભીર દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં બોટમાં સવાર 9 ખલાસીઓમાંથી 5નો આબાદ બચાવ થયો હતો. જ્યારે અન્ય 4 લોકો હાલ લાપતા છે. આ ઘટના સૈયદ રાજપરા અને ધારાબંદર વચ્ચે કિનારાથી આશરે 21 કિલોમીટર દૂર બની હતી. ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ બોટ માછીમારી કરી રહી હતી.

Advertisement

ત્યારે અચાનક દરિયાના તેજ મોજાની થપાટ લાગતા તે પલટી ગઈ હતી. બોટ પલટી જતાં તેમાં સવાર તમામ ખલાસીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે અન્ય બોટના માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂૂ કરી હતી. જેના કારણે 5 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આ બચાવાયેલા ખલાસીઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બચાવ થયેલા ખલાસીઓ પૈકીના રમેશભાઈ કાળાભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું કે અચાનક બોટ મોજાની થપાટથી પલટી ગઈ હતી અને અમે પાણીમાં પડી ગયા હતા.

અમે અન્ય બોટોની મદદથી બહાર નીકળ્યા. જોકે આ દુર્ઘટનામાં હજુ પણ 4 ખલાસીઓ લાપતા છે. તેમને શોધવા માટે તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ માછીમાર પરિવારોમાં શોક અને ચિંતાનો માહોલ ફેલાવી દીધો હતો.

Tags :
fishing boatgujaratgujarat newsHeavy RainUnaUna news
Advertisement
Next Article
Advertisement