રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પહેલાં કર્મચારીઓને વેતન ચૂકવો પછી ધર્માદો કરો: હાઈકોર્ટની ફટકાર

05:16 PM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાત હાઈકોર્ટે કાલે ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટને વેતન વિવાદ અંગે તેના કર્મચારીઓ સાથે કાનૂની લડાઈ લડવા બદલ ઠપકો આપ્યો હતો . મુખ્ય ન્યાયાધીશે ટ્રસ્ટને કહ્યું, તમારા પોતાના કર્મચારીઓને વેતન ચૂકવ્યા વિના તમે કોઈ ચેરિટી કરી શકાતી નથી.

Advertisement

ગુજરાત હાઈકોર્ટે કાલે ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટને વેતન વિવાદ અંગે તેના કર્મચારીઓ સાથે કાનૂની લડાઈ લડવા બદલ ઠપકો આપ્યો હતો . મુખ્ય ન્યાયાધીશે ટ્રસ્ટને કહ્યું, તમારા પોતાના કર્મચારીઓને વેતન ચૂકવ્યા વિના તમે કોઈ ચેરિટી કરી શકાતી નથી. આ કેસમાં શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ સામેલ છે, જે વેતન સુધારણાને લઈને તેના કામદારો સાથે કાયદાકીય લડાઈમાં ફસાયેલ છે.ટ્રસ્ટે ઔદ્યોગિક ટ્રિબ્યુનલ દ્વારા પસાર કરાયેલા વચગાળાના આદેશને હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો હતો, પરંતુ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની બેન્ચે આ મામલે દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે બંને પક્ષોને ટ્રિબ્યુનલ સમક્ષ તેમની દલીલો રજૂ કરવા જણાવ્યું હતું, જ્યાં કેસ પુરાવાના તબક્કે છે.

ટ્રસ્ટની અરજી ફગાવી દીધા પછી, ઈઉં એ તેના વકીલોને જણાવ્યું હતું કે જુઓ, તમને આટલી ચૂકવણી પરવડી શકતી હોવા છતાં તમે દરેક બાબતમાં અહીં આવો છો. તે ખરેખર નિરાશાજનક છે. તમે ટ્રસ્ટ છો, પણ તમારા કામદારો દાન નથી કરતા. જો તમે ખરેખર દાન કરી રહ્યા છો, તો તમારે તેમને યોગ્ય રીતે ચૂકવણી કરવી જોઈએ. વેતન તમારે નક્કી કરવું જોઈએ. તમારા પોતાના કર્મચારીઓને વેતન ચૂકવ્યા વિના તમારા દ્વારા કોઈ ધર્માદા કરી શકાય નહીં. આ તે કેવું ધાર્મિક ટ્રસ્ટ છે? ચેરિટી ઘરથી શરૂૂ થાય છે.

Tags :
gujaratgujarat high courtgujarat news
Advertisement
Next Article
Advertisement