ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અગ્નિકાંડના આરોપીઓએ કોર્ટમાં આરોપો ફગાવ્યા

04:11 PM Aug 08, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ સહિત દેશભરમાં ચકચાર જગાવનારા અગ્નિકાંડ કેસમાં આરોપી સામે કોર્ટમાં તાહોમતનામું ફરમાવવામાં આવ્યું હતું. આરોપીઓ તરફે દસ્તાવેજો કબુલ રાખવા કે નહી તે મુદ્દે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી આરોપીએ ડોક્યુમેન્ટ કબૂલ નથી તેવી પુરસીસ રજૂ કરતા વધુ એક મુદત પડી છે આગામી 22 મી ઓગષ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત પીએમ કરનાર ડોક્ટરને જુબાની માટે કોર્ટે સમન્સ પાઠવ્યું છે.

Advertisement

રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં ગત તા.25/5/2024ની સાંજે આગ લાગતા 27 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલભાઇ ભરતભાઇ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અગ્નિકાંડ કેસમાં ચાર્જશીટ બાદ ગત તા.17 જુલાઈના રોજ અદાલતમાં કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો અગ્નિકાંડ કેસમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ કબૂલ કરવા માટે કેસ મેનેજમેન્ટની કાર્યવાહી કરવા તા.31 મી જુલાઈ મુકરર કરવામાં આવી હતી. આરોપીઓ તરફથી દસ્તાવેજો કબુલ રાખવા કે નહીં તેમજ કયા કયા સાક્ષીઓને બોલાવવા તેના નામો આપવા મુદ્દે સુનાવણી થનાર હતી પરંતુ આરોપીઓના વકીલ દ્વારા કેસના અભ્યાસ માટે મુદત માંગવામાં આવી હતી.

આજે 8 મી ઓગષ્ટના રોજ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી આરોપીએ ડોક્યુમેન્ટ કબૂલ નથી તેવી પુરસીસ રજૂ કરતા વધુ એક મુદત પડી છે અગ્નિકાંડમાં મોતને ભેટેલા મૃતદેહના પી.એમ. કરનાર પીડીયું મેડિકલ કોલેજના ડો. જે.પી. શાહ, એસ.ડી. ભુવા અને વી.જે. આઘેરાને જુબાની માટે કોર્ટે સમન્સ પાઠવ્યું છે. આગામી 22 મી ઓગષ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ કેસમાં સરકારે સ્પે. પીપી તરીકે તુષાર ગોકાણી, એડિશનલ સ્પે.પીપી નિતેશ કથીરિયા, પીડિત પરિવાર વતી સિનિયર એડવોકેટ સુરેશ ફળદુ અને નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

આરોપી ધવલ ઠક્કરની જામીન અરજી ફગાવતી કોર્ટ
અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા 15 આરોપીઓ પૈકી ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે જ્યારે બાકીના આરોપીઓ હજુ જેલ હવાલે છે અને જેમાંના અનેક આરોપીઓની હાઇકોર્ટમાંથી પણ જામીન અરજી ફગાવી દેવામાં આવી છે ત્યારે અગ્નિકાંડ કેસના આરોપી ધવલ ઠક્કરે જેલ મુક્ત થવા રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જે જામીન અરજીની આગામી 6 ઓગસ્ટના રોજ મુકકર રાખવામાં આવી હતી. જેમાં મુદત પડતા આજે જામીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલિલો ધ્યાને લઇ કોર્ટ આરોપી ધવલ ઠક્કરની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement