રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પંચનાથ પ્લોટમાં પાર્શ્ર્વનાથ એપાર્ટમેન્ટના મીટર પેનલમાં આગ

03:49 PM Jul 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરના પંચનાથ પ્લોટમાં આવેલા પાર્શ્ર્વનાથ એપાર્ટમેન્ટમાં મીટર પેનલમાં આગ ભભુકી ઉઠતા સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે સ્થાનિક લોકોએ સમયસુચકતા વાપરી એસ્ટીગ્યુશરની મદદથી આગ બુઝાવી નાખતા કોઇ જાનહાની થઇ ન હતી.

જાણવા મળતી વિગત મુજબ પંચનાથ પ્લોટ શેરી નં.1માં આવેલા પાર્શ્ર્વનાથ એપાર્ટમેન્ટમાં આજે સવારે આગ લાગવાના ખબર મળતા ફાય બ્રિગેડેનો સ્ટાફ તાત્કાલીક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ એપાર્ટમેન્ટના પાકીંગમાં આવેલા મીટર પેનલમાં લાગી હતી. જો કે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ ફાયર એસ્ટીગ્યુશરની મદદથી આગ બુઝાવી નાખી હતી. આગમાં કોઇ જાનહાની કે નુકશાન થયું ન હતું.

Tags :
firegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement