પંચનાથ પ્લોટમાં પાર્શ્ર્વનાથ એપાર્ટમેન્ટના મીટર પેનલમાં આગ
03:49 PM Jul 22, 2024 IST | Bhumika
Advertisement
શહેરના પંચનાથ પ્લોટમાં આવેલા પાર્શ્ર્વનાથ એપાર્ટમેન્ટમાં મીટર પેનલમાં આગ ભભુકી ઉઠતા સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે સ્થાનિક લોકોએ સમયસુચકતા વાપરી એસ્ટીગ્યુશરની મદદથી આગ બુઝાવી નાખતા કોઇ જાનહાની થઇ ન હતી.
જાણવા મળતી વિગત મુજબ પંચનાથ પ્લોટ શેરી નં.1માં આવેલા પાર્શ્ર્વનાથ એપાર્ટમેન્ટમાં આજે સવારે આગ લાગવાના ખબર મળતા ફાય બ્રિગેડેનો સ્ટાફ તાત્કાલીક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ એપાર્ટમેન્ટના પાકીંગમાં આવેલા મીટર પેનલમાં લાગી હતી. જો કે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ ફાયર એસ્ટીગ્યુશરની મદદથી આગ બુઝાવી નાખી હતી. આગમાં કોઇ જાનહાની કે નુકશાન થયું ન હતું.
Advertisement
Advertisement