ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મવડીમાં રહેણાક મકાનમાં આગ ભભૂકી

04:38 PM Nov 19, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

શહેરના મવડી વિસ્તારમાં આવેલા કૃષ્ંનગરમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગ્યાની શંકા સેવાઈ રહી છે.

જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં કૃષ્ણનગર મેઈન રોડ પર સ્વામીનારાયણ ચોકથી આગળ ફરસાણવાળી બંધ શેરીમાં રહેણાંક મકાનમાં આજે સવારે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં મવડી ફાયર બ્રિગેડનો સ્ટાફ મિની ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા ચાલુ વીજલાઈન બંધ કરી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતાં. અડધા કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ઘટના સ્થળે મકાન માલીક શૈલેષભાઈ ચાવડીયા હાજર હતાં. તેમના જણાવ્યા મુજબ આગના લીધે ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. જો કે સદનશીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગ્યાની શંકા સેવાઈ રહી છે.

Tags :
firegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement