ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયાના રહેણાક વિસ્તારમાં આગ ભભૂકી: સોલાર અને જનરેટર ખાખ

11:36 AM Jan 29, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તારમાં ગતરાત્રે એક આસામીના ટેરેસ પરની સોલાર પેનલમાં આગ ભભૂકી ઉઠતા થોડો સમય ભયના માહોલ સાથે દોડધામ મચી જવા પામી હતી.જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં આવેલા પોસ રહેણાંક વિસ્તાર રામનાથ સોસાયટીમાં ગરબી ચોક વિસ્તારમાં રહેતા ભરતભાઈ ચંદુભાઈ પંચમતીયાના રહેણાંક મકાનમાં બીજા માળે ફીટ કરવામાં આવેલી સોલાર પેનલમાં કોઈ કારણોસર એકાએક આગ લાગી હતી.

થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. અને ધુમાડાના ગોટા સાથે આગની જવાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી.આ બનાવ અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર વિભાગના મનસુખભાઈ મારુ, બ્રિજરાજસિંહ સરવૈયા તથા સુખદેવસિંહ વાઢેરની ટીમએ ફાયર ફાઈટર સાથે દોડી જઈને લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને આગ પર વધુ પ્રસરતા અટકી હતી.આ આગમાં ઘર પરની સોલાર પેનલ તેમજ જનરેટર સેટ બળીને ખાખ થઈ જતા મકાન માલિકને વ્યાપક નુકસાની થવા પામી હતી. આ બનાવના પગલે નજીકના રહીશોમાં થોડોક સમય ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Tags :
firegujaratgujarat newsKhambhaliyaKhambhaliya news
Advertisement
Next Article
Advertisement